AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ ત્રિરંગા પર મંત્રીના નિવેદનને લઈને ખોલ્યો મોરચો, આખી રાત વિધાનસભામાં પ્રદર્શન

સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઈશ્વરપ્પાને બરતરફ કરવાનો નિર્દેશ આપવો જોઈએ, કારણ કે તેમની ટિપ્પણી રાજદ્રોહ સમાન છે.

Viral Video: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ ત્રિરંગા પર મંત્રીના નિવેદનને લઈને ખોલ્યો મોરચો, આખી રાત વિધાનસભામાં પ્રદર્શન
Karnataka Assembly
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:34 AM
Share

Karnataka Assembly: કોંગ્રેસના ધારાસભ્યોએ ગુરુવારે કર્ણાટક(Karnataka)ના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કે.એસ. ઈશ્વરપ્પા(KS Eshwarappa)ને બરતરફ કરવાની અને રાષ્ટ્રધ્વજ વિશેના તેમના નિવેદનને લઈને રાજદ્રોહનો કેસ નોંધવાની માંગ કરી છે.આ તમામે વિધાન પરિષદ(Karnataka Assembly)ની અંદર રાત વિતાવી હતી. કોંગ્રેસ(Congress Party)ના ધારાસભ્યોના વિરોધથી સતત બીજા દિવસે બંને ગૃહોની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હતી. દિવસભર વિધાનસભા સ્થગિત કર્યા બાદ પણ કોંગ્રેસના સભ્યો ત્યાં જ રહ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી, મુખ્ય પ્રધાન બોમાઈ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ બાદમાં વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે વાતચીત કરી. અગાઉ, વિધાનસભાની બહાર પત્રકારોને સંબોધતા, સિદ્ધારમૈયાએ ભાજપ અને સંઘ પરિવાર પર રાષ્ટ્રધ્વજનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો, કહ્યું હતું કે કોંગ્રેસે આ મુદ્દાને તેના તાર્કિક અંત સુધી લઈ જવા માટે “દિવસ અને રાત” વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.

સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઈશ્વરપ્પાને બરતરફ કરવાનો નિર્દેશ આપવો જોઈએ, કારણ કે તેમની ટિપ્પણી રાજદ્રોહ સમાન છે. મુખ્યમંત્રી પણ ઈશ્વરપ્પા સામે પગલાં નથી લઈ રહ્યા, આરએસએસ ઈશ્ર્વરપ્પા દ્વારા પોતાનો છુપો એજન્ડા અમલમાં મૂકી રહ્યું છે. દરમિયાન, ઇશ્વરપ્પાએ કહ્યું કે તેમના દ્વારા કોઈપણ કારણસર રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી અને તેઓ એક દેશભક્ત છે જે ઈમરજન્સી દરમિયાન જેલમાં ગયા હતા અને એમ પણ કહ્યું કે તેમને વિરોધ કરવા દો.

તેઓએ વિરોધ પ્રદર્શન માટે રાષ્ટ્રધ્વજનો “દુરુપયોગ” કરવાનો આરોપ લગાવીને રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર અને તેમની પાર્ટીના રાજીનામાની માંગ કરી. તાજેતરમાં, ઇશ્વરપ્પાએ દાવો કર્યો હતો કે ‘ભગવો ધ્વજ’ ભવિષ્યમાં ક્યારેક રાષ્ટ્રધ્વજ બની શકે છે અને લાલ કિલ્લા પર લહેરાવવામાં આવી શકે છે. જો કે, તેમણે કહ્યું હતું કે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે અને બધાએ તેનું સન્માન કરવું જોઈએ.

બીજી તરફ, મુખ્યમંત્રી બોમ્માઈએ કોંગ્રેસના નેતાઓના સ્ટેન્ડને જનવિરોધી ગણાવ્યા અને કહ્યું કે ભૂતકાળમાં વિધાનસભામાં રાતોરાત વિરોધ પ્રદર્શનો થયા છે, પરંતુ તેઓ લોકો, ખેડૂતો અને ખેડૂતોના હિતના મુદ્દાઓ પર હતા, તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે.

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">