Viral Video: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ ત્રિરંગા પર મંત્રીના નિવેદનને લઈને ખોલ્યો મોરચો, આખી રાત વિધાનસભામાં પ્રદર્શન

સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઈશ્વરપ્પાને બરતરફ કરવાનો નિર્દેશ આપવો જોઈએ, કારણ કે તેમની ટિપ્પણી રાજદ્રોહ સમાન છે.

Viral Video: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ ત્રિરંગા પર મંત્રીના નિવેદનને લઈને ખોલ્યો મોરચો, આખી રાત વિધાનસભામાં પ્રદર્શન
Karnataka Assembly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:34 AM

Karnataka Assembly: કોંગ્રેસના ધારાસભ્યોએ ગુરુવારે કર્ણાટક(Karnataka)ના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કે.એસ. ઈશ્વરપ્પા(KS Eshwarappa)ને બરતરફ કરવાની અને રાષ્ટ્રધ્વજ વિશેના તેમના નિવેદનને લઈને રાજદ્રોહનો કેસ નોંધવાની માંગ કરી છે.આ તમામે વિધાન પરિષદ(Karnataka Assembly)ની અંદર રાત વિતાવી હતી. કોંગ્રેસ(Congress Party)ના ધારાસભ્યોના વિરોધથી સતત બીજા દિવસે બંને ગૃહોની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હતી. દિવસભર વિધાનસભા સ્થગિત કર્યા બાદ પણ કોંગ્રેસના સભ્યો ત્યાં જ રહ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી, મુખ્ય પ્રધાન બોમાઈ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ બાદમાં વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે વાતચીત કરી. અગાઉ, વિધાનસભાની બહાર પત્રકારોને સંબોધતા, સિદ્ધારમૈયાએ ભાજપ અને સંઘ પરિવાર પર રાષ્ટ્રધ્વજનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો, કહ્યું હતું કે કોંગ્રેસે આ મુદ્દાને તેના તાર્કિક અંત સુધી લઈ જવા માટે “દિવસ અને રાત” વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઈશ્વરપ્પાને બરતરફ કરવાનો નિર્દેશ આપવો જોઈએ, કારણ કે તેમની ટિપ્પણી રાજદ્રોહ સમાન છે. મુખ્યમંત્રી પણ ઈશ્વરપ્પા સામે પગલાં નથી લઈ રહ્યા, આરએસએસ ઈશ્ર્વરપ્પા દ્વારા પોતાનો છુપો એજન્ડા અમલમાં મૂકી રહ્યું છે. દરમિયાન, ઇશ્વરપ્પાએ કહ્યું કે તેમના દ્વારા કોઈપણ કારણસર રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી અને તેઓ એક દેશભક્ત છે જે ઈમરજન્સી દરમિયાન જેલમાં ગયા હતા અને એમ પણ કહ્યું કે તેમને વિરોધ કરવા દો.

તેઓએ વિરોધ પ્રદર્શન માટે રાષ્ટ્રધ્વજનો “દુરુપયોગ” કરવાનો આરોપ લગાવીને રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર અને તેમની પાર્ટીના રાજીનામાની માંગ કરી. તાજેતરમાં, ઇશ્વરપ્પાએ દાવો કર્યો હતો કે ‘ભગવો ધ્વજ’ ભવિષ્યમાં ક્યારેક રાષ્ટ્રધ્વજ બની શકે છે અને લાલ કિલ્લા પર લહેરાવવામાં આવી શકે છે. જો કે, તેમણે કહ્યું હતું કે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે અને બધાએ તેનું સન્માન કરવું જોઈએ.

બીજી તરફ, મુખ્યમંત્રી બોમ્માઈએ કોંગ્રેસના નેતાઓના સ્ટેન્ડને જનવિરોધી ગણાવ્યા અને કહ્યું કે ભૂતકાળમાં વિધાનસભામાં રાતોરાત વિરોધ પ્રદર્શનો થયા છે, પરંતુ તેઓ લોકો, ખેડૂતો અને ખેડૂતોના હિતના મુદ્દાઓ પર હતા, તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">