Uttarakhand : કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર
ઉત્તરાખંડ પોલીસે કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેદારનાથ ધામમાં હવામાનને જોતા સાવચેત રહેવા અને હવામાનની આગાહી મુજબ યાત્રા શરૂ કરવાનું કહ્યું. કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા થઈ રહી છે.

કેદારનાથ ધામમાં આજે સવારથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભક્તો વરસાદમાં છત્રી લઈને દર્શન માટે પોતાના વારાની રાહ જોતા લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘંટનાદનો અવાજ પણ એટલી જ જોર થઈ રહ્યો છે. આ ઘંટનાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની પોલીસની અપીલ
જણાવી દઈએ કે બાબા કેદારનાથ ધામમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ઠંડી વધી ગઈ છે. કેદારનાથ ધામમાં સતત બે અઠવાડિયાથી દરરોજ વરસાદની સાથે બરફ પડી રહ્યો છે. તેવા જ સમયે, ઉત્તરાખંડ પોલીસે કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેદારનાથ ધામમાં હવામાનને જોતા સાવચેત રહેવા અને હવામાનની આગાહી મુજબ યાત્રા શરૂ કરવાનું કહ્યું. ઉપરાંત, ઇમરજન્સી મદદ માટે 112 નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. જેથી સમયસર મદદ મળી શકે.
Uttarakhand | There is continuous snowfall in Kedarnath Dham since this morning. Please be careful in view of the weather and start the journey according to the weather forecast. Dial 112 for emergency assistance: Uttarakhand Police
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 1, 2023
પોલીસે મુસાફરોને હવામાનની માહિતી આપી
જણાવી દઈએ કે પૌડી જિલ્લાના શ્રીનગરમાં ગત દિવસે ભારે વરસાદને કારણે પોલીસે મુસાફરોને દેવપ્રયાગ, શ્રીનગર, કીર્તિનગરથી આગળ ન જવાની અપીલ કરી હતી. આ સાથે પોલીસે જાહેરાત કરીને મુસાફરોને હવામાનની માહિતી આપતી જોવા મળી હતી. જેથી કરીને યાત્રિકો ચારધામની સલામત યાત્રા કરી શકે.
રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ
તે જ સમયે, પોલીસની અપીલની અસર પણ જોવા મળી હતી, ત્યારબાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીનગર, દેવપ્રયાગ અને કીર્તિનગરમાં રોકાયા હતા. આ સાથે જ રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સવારે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ
કેદારનાથ ધામમાં છેલ્લા 13 દિવસથી તૂટક તૂટક હિમવર્ષા થઈ રહી છે. 18 એપ્રિલે ધામમાં હિમવર્ષાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને શનિવારે બપોર પછી શરૂ થયેલી હિમવર્ષા રાત સુધી ચાલુ રહી હતી. આજે સવારથી કેદારનાથમાં પણ હવામાન સાફ નથી. હિમવર્ષાને કારણે કેદારનાથમાં ઠંડી પડી રહી છે. અગાઉ, કેદારનાથ અને બદ્રીનાથમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે સર્જાયેલી સમસ્યાઓને લઈ, મોડી રાત્રે ચારધામ યાત્રીઓને પોલીસે શ્રીનગરમાં જ અટકાવી દીધી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…