AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand : કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર

ઉત્તરાખંડ પોલીસે કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેદારનાથ ધામમાં હવામાનને જોતા સાવચેત રહેવા અને હવામાનની આગાહી મુજબ યાત્રા શરૂ કરવાનું કહ્યું. કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા થઈ રહી છે.

Uttarakhand : કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા, ઈમરજન્સી નંબર કરાયો જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 11:24 AM
Share

કેદારનાથ ધામમાં આજે સવારથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભક્તો વરસાદમાં છત્રી લઈને દર્શન માટે પોતાના વારાની રાહ જોતા લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘંટનાદનો અવાજ પણ એટલી જ જોર થઈ રહ્યો છે. આ ઘંટનાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની પોલીસની અપીલ

જણાવી દઈએ કે બાબા કેદારનાથ ધામમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ઠંડી વધી ગઈ છે. કેદારનાથ ધામમાં સતત બે અઠવાડિયાથી દરરોજ વરસાદની સાથે બરફ પડી રહ્યો છે. તેવા જ સમયે, ઉત્તરાખંડ પોલીસે કેદારનાથ ધામમાં ખરાબ હવામાન બાદ શ્રદ્ધાળુઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેદારનાથ ધામમાં હવામાનને જોતા સાવચેત રહેવા અને હવામાનની આગાહી મુજબ યાત્રા શરૂ કરવાનું કહ્યું. ઉપરાંત, ઇમરજન્સી મદદ માટે 112 નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. જેથી સમયસર મદદ મળી શકે.

પોલીસે મુસાફરોને હવામાનની માહિતી આપી

જણાવી દઈએ કે પૌડી જિલ્લાના શ્રીનગરમાં ગત દિવસે ભારે વરસાદને કારણે પોલીસે મુસાફરોને દેવપ્રયાગ, શ્રીનગર, કીર્તિનગરથી આગળ ન જવાની અપીલ કરી હતી. આ સાથે પોલીસે જાહેરાત કરીને મુસાફરોને હવામાનની માહિતી આપતી જોવા મળી હતી. જેથી કરીને યાત્રિકો ચારધામની સલામત યાત્રા કરી શકે.

રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ

તે જ સમયે, પોલીસની અપીલની અસર પણ જોવા મળી હતી, ત્યારબાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીનગર, દેવપ્રયાગ અને કીર્તિનગરમાં રોકાયા હતા. આ સાથે જ રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સવારે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

કેદારનાથ ધામમાં છેલ્લા 13 દિવસથી તૂટક તૂટક હિમવર્ષા થઈ રહી છે. 18 એપ્રિલે ધામમાં હિમવર્ષાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને શનિવારે બપોર પછી શરૂ થયેલી હિમવર્ષા રાત સુધી ચાલુ રહી હતી. આજે સવારથી કેદારનાથમાં પણ હવામાન સાફ નથી. હિમવર્ષાને કારણે કેદારનાથમાં ઠંડી પડી રહી છે. અગાઉ, કેદારનાથ અને બદ્રીનાથમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે સર્જાયેલી સમસ્યાઓને લઈ, મોડી રાત્રે ચારધામ યાત્રીઓને પોલીસે શ્રીનગરમાં જ અટકાવી દીધી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">