Chardham Yatra 2023 : ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર, કેદારનાથ-બદ્રીનાથમાં ભારે હિમવર્ષા; શ્રીનગરમાં રોકી રખાયા યાત્રાળુઓ

Chardham Yatra 2023 : શ્રીનગરના એસએચઓ રવિ સૈનીના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસ દ્વારા સાવચેતીના પગલા રૂપે ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે.

Chardham Yatra 2023 : ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર, કેદારનાથ-બદ્રીનાથમાં ભારે હિમવર્ષા; શ્રીનગરમાં રોકી રખાયા યાત્રાળુઓ
Kedarnath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:02 AM

Chardham Yatra 2023 : ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી અને મહત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. જેના કારણે ચાર ધામ યાત્રાને પણ અસર થઈ છે. કેદારનાથ ધામ જતા ભક્તોને રોકવામાં આવી રહ્યા છે. ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર બાજપુરમાં પહાડી પરથી જમીન ધસી પડવાને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા વચ્ચે વાહનો થંભી ગયા છે.

શ્રીનગરના એસએચઓ રવિ સૈનીના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દીધી છે. શ્રીનગરમાં શ્રદ્ધાળુઓના રોકાણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર પુરેપુરો પ્રયાસ કરી રહ્યું છે કે એક પણ યાત્રાળુને કોઈ મુશ્કેલી ન પડે. હવામાન સારું થતાં જ તેમને અહીંથી જવા દેવામાં આવશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

હવામાન વિભાગે 29 એપ્રિલે જ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMDએ જણાવ્યું કે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઠંડી પડી રહી હોવાથી વૃદ્ધો અને બાળકો યાત્રાથી દૂર રહે.

30 એપ્રિલ અને 1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરવા આવે છે. આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ બદલાતું હવામાન ચારધામ યાત્રામાં અડચણરૂપ બની રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">