AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra 2023 : ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર, કેદારનાથ-બદ્રીનાથમાં ભારે હિમવર્ષા; શ્રીનગરમાં રોકી રખાયા યાત્રાળુઓ

Chardham Yatra 2023 : શ્રીનગરના એસએચઓ રવિ સૈનીના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસ દ્વારા સાવચેતીના પગલા રૂપે ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે.

Chardham Yatra 2023 : ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર, કેદારનાથ-બદ્રીનાથમાં ભારે હિમવર્ષા; શ્રીનગરમાં રોકી રખાયા યાત્રાળુઓ
Kedarnath
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:02 AM
Share

Chardham Yatra 2023 : ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી અને મહત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. જેના કારણે ચાર ધામ યાત્રાને પણ અસર થઈ છે. કેદારનાથ ધામ જતા ભક્તોને રોકવામાં આવી રહ્યા છે. ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર બાજપુરમાં પહાડી પરથી જમીન ધસી પડવાને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા વચ્ચે વાહનો થંભી ગયા છે.

શ્રીનગરના એસએચઓ રવિ સૈનીના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દીધી છે. શ્રીનગરમાં શ્રદ્ધાળુઓના રોકાણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર પુરેપુરો પ્રયાસ કરી રહ્યું છે કે એક પણ યાત્રાળુને કોઈ મુશ્કેલી ન પડે. હવામાન સારું થતાં જ તેમને અહીંથી જવા દેવામાં આવશે.

હવામાન વિભાગે 29 એપ્રિલે જ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMDએ જણાવ્યું કે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઠંડી પડી રહી હોવાથી વૃદ્ધો અને બાળકો યાત્રાથી દૂર રહે.

30 એપ્રિલ અને 1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરવા આવે છે. આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ બદલાતું હવામાન ચારધામ યાત્રામાં અડચણરૂપ બની રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">