Gandhi Jayanti : આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ મોદી-સોનિયા સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખરે પણ બાપુને નમન કર્યા હતા.
આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની (Mahatma Gandhi)153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH | Delhi: PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti
(Source: DD) pic.twitter.com/HUZyZKzjJM
— ANI (@ANI) October 2, 2022
પીએમ મોદી સિવાય પણ ઘણા નેતાઓ બાપુના સમાધિ સ્થાન રાજઘાટ પર પહોંચ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખરે પણ બાપુને નમન કર્યા હતા. રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
#WATCH | President Droupadi Murmu pays tribute to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/SNA5mtGidA
— ANI (@ANI) October 2, 2022
Delhi | Congress interim president Sonia Gandhi and Senior Congress leader Mallikarjun Kharge pay tribute to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/EBkoWbWpHZ
— ANI (@ANI) October 2, 2022
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર, આપણે મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને બધા દ્વારા વહેંચાયેલા શાંતિ, સન્માન અને આવશ્યક ગૌરવના મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વિવિધ સંસ્કૃતિઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ છીએ.
“On International Day of Non-Violence, we celebrate Mahatma Gandhi’s birthday & values of peace, respect & the essential dignity shared by everyone. We can defeat today’s challenges by embracing these values & working across cultures,” tweets UN Secretary-General Antonio Guterres pic.twitter.com/XE1c7g7s8k
— ANI (@ANI) October 2, 2022