AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્ષત્રિયોની નારાજગીને લઈને પાટીલે આપ્યુ મોટુ નિવેદન, “રાજપૂત સમાજ રૂપાલાથી નારાજ છે ભાજપથી નહીં”- જુઓ Video

રાજયમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ એટલો બુલંદ થયો છે કે ભાજપના તમામ મોટા નેતાઓ હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગયા છે. એકતરફ ગૃહરાજ્યમંત્રી જિલ્લાવાર ફરીને ક્ષત્રિયોની નારાજગી દૂર કરવાના પ્રયાસમાંલ લાગેલા છે તો આજે સુરતમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી અને આ મુલાકાત દરમિયાન તેમણે ક્ષત્રિયોની નારાજગીને લઈને મોટુ નિવેદન પણ આપ્યુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2024 | 6:26 PM
Share

ક્ષત્રિયોની નારાજગીનો સૂર એટલો તો બૂલંદ થઇ ચૂક્યો છે કે હવે રૂપાલાનો વિરોધ સીધો ભાજપને ભડકે બાળી રહ્યો છે…ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગામે ગામ ક્ષત્રિયોના વિરોધની આગની જ્વાળાઓ જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી અને મોટુ નિવેદન આપ્યુ છે.

ક્ષત્રિય સમાજમાં રોષ રૂપાલા સામે છે, ભાજપ કે મોદી સામે નહીં. એક તરફ રાજ્યમાં રૂપાલાનો ક્ષત્રિયો જોરદાર વિરોધ નોંધાવી રહ્યા છે, ભાજપ વિરોધી મતદાનનો મંચ તૈયાર થઇ ચૂક્યો છે, તેવા સમયે પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. સુરતમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે પાટીલે મુલાકાત યોજી. મુલાકાત બાદ પાટીલે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે, પાટીલે પ્રથમવાર કબૂલાત પણ કરી કે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાય તે સ્વાભાવિક છે.

પાટીલે એ પણ દાવો કર્યો કે રાજપૂત સમાજ રૂપાલાથી નારાજ છે ભાજપથી નહીં. PM મોદી માટે ક્ષત્રિયોને સન્માન હોવાની વાત કહીને, પાટીલે દાવા સાથે કહ્યું કે, ક્ષત્રિયો રૂપાલા પૂરતો રોષ સમિતિ રાખીને ભાજપને સમર્થન જ નહીં મતદાન પણ કરશે.

પાટીલે ક્ષત્રિયોના ઇતિહાસને યાદ કરતા કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ક્ષત્રિયોએ, ક્ષમા વિરસ્ય ભૂષણમનો માર્ગ અપનાવ્યો છે

આ પણ વાંચો: IPL 2024: ‘તેના પર ખતરો તોળાઈ રહ્યો છે’…અક્ષર પટેલને શેનો ડર સતાવી રહ્યો છે?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">