રાજકીય હલચલ તેજ : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને યોજાનારી શરદ પવારની બેઠકમાં TMC ની બાદબાકી, CM મમતા તેમના સાંસદો સાથે કરશે બેઠક
NDA દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પહેલા દ્રૌપદી મુર્મુ અને હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Vice President election) માટે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની ઉમેદવારી જાહેર કર્યા બાદ રાજકીય હલચલ તેજ થઈ છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Vice President Election) માટે વિપક્ષી ઉમેદવાર નક્કી કરવા માટે રવિવારે બપોરે એનસીપી વડા શરદ પવારના(Sharad Pawar) ઘરે બોલાવવામાં આવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)હાજરી આપશે નહીં. તમને જણાવી દઈએ કે, ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA કેમ્પ વતી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે સાંજે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. બીજી તરફ દિલ્હીમાં (Delhi) વિપક્ષી પાર્ટીઓ પોતાના ઉમેદવારો નક્કી કરવા બેઠક કરી રહી છે. આ બેઠક NCP પ્રમુખ શરદ પવારના(Sharad Pawar) ઘરે યોજાશે. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની પાર્ટી આ બેઠકમાં ભાગ લેશે નહીં. જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રને લઈને કેન્દ્ર સરકાર(central govt) દ્વારા આજે બોલાવવામાં આવેલી બેઠકમાં TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે હાજરી આપી હતી.
જગદીપ ધનખડના નામની જાહેરાત બાદ મમતા બેકફૂટ પર
સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જુલાઈના રોજ શહીદ દિવસને લઈને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીના(Mamata Banerjee) કાલીઘાટ સ્થિત આવાસ પર પાર્ટીના સાંસદો સાથે બેઠક બોલાવવામાં આવી છે. તે બેઠકમાં આગામી બાદલ સત્રમાં વિપક્ષી પાર્ટી તરીકે તૃણમૂલની ભૂમિકા શું રહેશે, રણનીતિ નક્કી કરવામાં આવશે. આ સાથે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંગાળની સત્તાધારી પાર્ટીની સ્થિતિ પણ નક્કી કરવામાં આવશે.
મમતા બેનર્જીએ પાર્ટીના સાંસદોની બેઠક બોલાવી
TMCના સૂત્રોનું કહેવું છે કે તે જ સમયે બેઠક યોજાઈ રહી હોવાને કારણે તૃણમૂલ સંસદીય પક્ષે સ્વાભાવિક રીતે શરદ પવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે, કારણ કે પાર્ટીના નેતાએ શનિવારે સાંજે બેઠકની જાહેરાત કરી છે. બંગાળના રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે બંગાળના(West Bengal) રાજ્યપાલને નોમિનેટ કર્યા છે, તેથી તૃણમૂલ નેતૃત્વ આ અંગે સભાન પગલું ભરવા માંગે છે.
તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીની પહેલ પર યશવંત સિંહને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી છાવણીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમણે તૃણમૂલમાંથી રાજીનામું આપી દીધું અને રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર બન્યા. પરંતુ ભાજપે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને ઉમેદવાર જાહેર કર્યા બાદ મમતા બેનર્જીએ પોતાનો સૂર હળવો કર્યો છે અને કહ્યું છે કે જો અગાઉ માહિતી આપવામાં આવે તો રાષ્ટ્રપતિ સર્વસંમતિથી ચૂંટાઈ શકે છે.