બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસના 32 આરોપીઓ બેકાબુ બનેલ ભીડને નિયંત્રિત કરતા હતાઃસ્પે. સીબીઆઈ કોર્ટ
બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસા 32 આરોપીઓને નિર્દોષ છોડવાનો ચૂકાદો આપતા સ્પેશીયલ સીબીઆઈ કોર્ટના જજ એસ કે યાદવે કહ્યુ કે, આરોપીઓ તો, ભીડને નિયત્રિત કરી રહ્યાં હતા. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ ફોટાથી સાબિત નથી થતુ. કેટલાક પુરાવાઓ સાથે ચેડા કરાયેલા છે. ઘટના અંગેના ફોટા, વીડિયો, ફોટોકોપી જે રીતે રજૂ કરવામાં આવ્યા છે તે ગ્રાહ્ય રાખી […]
બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસા 32 આરોપીઓને નિર્દોષ છોડવાનો ચૂકાદો આપતા સ્પેશીયલ સીબીઆઈ કોર્ટના જજ એસ કે યાદવે કહ્યુ કે, આરોપીઓ તો, ભીડને નિયત્રિત કરી રહ્યાં હતા. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ ફોટાથી સાબિત નથી થતુ. કેટલાક પુરાવાઓ સાથે ચેડા કરાયેલા છે. ઘટના અંગેના ફોટા, વીડિયો, ફોટોકોપી જે રીતે રજૂ કરવામાં આવ્યા છે તે ગ્રાહ્ય રાખી શકાય નહી.
2300 પાનાનો ચૂકાદો આપતા સ્પેશીયલ સીબીઆઈ કોર્ટના જજ એસ કે યાદવે કહ્યુ હતુ કે, માત્ર તસ્વીરોના આધારે કોઈને દોષીત જાહેર કરી ના શકાય. તમામ આરોપીએ બાબરી મસ્જિદનો ઢાચો બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. એકાએક ભીડ ત્યા આવી અને બાબરી મસ્જિદનો ઢાંચો તોડી નાખ્યો. જે 32 આરોપીઓના નામ દર્શાવવામાં આવ્યા છે તેઓ બેકાબુ બનેલ ભીડને નિયત્રિત કરી રહ્યાં હતા.
બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના કોઈ પૂર્વ આયોજીત કાવતરુ નહોતુ, તેમ ચૂકાદામાં ટાંકતા સ્પે. કોર્ટના જજ એસ કે યાદવે કહ્યું કે, સંગઠનો દ્વારા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અચાનક બની હતી. વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંધલ વિરુધ્ધ કોઈ પુરાવાઓ નથી મળ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો