આતંકવાદીઓએ રાજૌરીમાં પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન, આડેઘડ ગોળીબારમાં 4ના મોત, 7 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી અંદાજે 7 કિલોમીટર દૂર ડાંગરી ગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. રાજૌરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે કહ્યું કે ઈજાગ્રસ્તોના શરીર પર ગોળીઓના અનેક ઘા છે.

આતંકવાદીઓએ રાજૌરીમાં પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન, આડેઘડ ગોળીબારમાં 4ના મોત, 7 ઘાયલ
Terrorist firing in Rajouri, Security forces cordoned areaImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 6:55 AM

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યાના સમાચાર સામે આવ્યા છે. રાજૌરીના ડાંગરી ગામમાં 50 મીટરના વિસ્તારમાં 3 અલગ-અલગ મકાન ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ હત્યાકાંડની માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, આ આંતકી હુમલામાં 4 લોકોના મોત નિપજ્યા છે અને 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર 2 સશસ્ત્ર આતંકવાદીઓએ આ ગોળીબાર કરીને હત્યાઓ કરી છે. બનાવની જાણ થતા, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ગોળીબાર કરનારા આતંકવાદીઓની તપાસ કરવામાં આવી રહી છે.

J&K ADGP મુકેશ સિંહે કહ્યું, “પ્રાપ્ત માહિતી મુજબ, 2 આતંકવાદીઓ આવ્યા અને અપર ડાંગરી વિસ્તારમાં 3 ઘરોને નિશાન બનાવ્યા હતા. જેમા 4 લોકોના મોત નિપજ્યા છે. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ, સીઆરપીએફ, સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ટૂંક સમયમાં 2 આતંકવાદીઓને પકડી પાડવાનો પ્રયાસ કરીશું. મળતી માહિતી મુજબ, આ ગોળીબાર રાજૌરીથી લગભગ 7 કિલોમીટર દૂર ડાંગરી ગામમાં થયો હતો. આ મામલે રાજૌરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે જણાવ્યું કે ગંભીર રીતે ઈજા પામેલાના શરીર પર ગોળીઓના અનેક ઘા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 મૃતક અને ઘાયલના નામ

પોલીસે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની વિગત જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સતીશ કુમાર, દીપક કુમાર અને પ્રીતમ લાલનું આતંકવાદી હૂમલામાં મોત થયું છે. જ્યારે સરોજ બાલા, આરોશી, શુભ શર્મા, રોહિત પંડિત, સુશીલ કુમાર, પવન કુમાર, અને શિવપાલ ગંભીર રીતે ઘાયલ થયા છે.

CRPFના બંકર પર ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ ગ્રેનેડ રોડની બાજુમાં ફાટ્યો હતો. જેમાં એક નાગરિકને ઈજા પહોચી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગ્રેનેડ ફેકવાની ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં બની હતી.

આતંકવાદીઓએ મિર્ઝા કામિલ ચોક નજીક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બંકર તરફ લગભગ 7:45 વાગ્યે ગ્રેનેડ ફેંક્યો હતો. જે રોડની બાજુમાં ફાટ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, હબકના રહેવાસી સમીર અહેમદ મલ્લાને વિસ્ફોટને લીધે સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યું કે ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા સમીર અહેમદ મલ્લાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

input with PTI

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">