તેલંગાણાના (Telangana) ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહની (T Raja Singh) ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા તેલંગાણાના હૈદરાબાદ શહેરના ગોશામહલના ધારાસભ્ય રાજા સિંહે આ વખતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા નામ લીધા વગર પોતાનો નવો વીડિયો જાહેર કર્યો હતો. આ પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
#WATCH | Telangana police arrests suspended BJP leader T Raja Singh from his residence in Hyderabad for his alleged remarks against Prophet Muhammad.
Massive protests had taken place on August 23, against the leader for his alleged statement. pic.twitter.com/DvfrFAZE8Y
— ANI (@ANI) August 25, 2022
તમને જણાવી દઈએ કે ટી રાજા સિંહની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની ધરપકડના થોડા કલાકો બાદ સ્થાનિક કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. કોર્ટે રાજા સિંહના વકીલની દલીલને સ્વીકારી હતી કે પોલીસે કેસમાં તેમની ધરપકડ પહેલા CrPCની કલમ-41 હેઠળ તેમના અસીલને કોઈ નોટિસ આપી ન હતી. વકીલે દલીલ કરી હતી કે પોલીસે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કોઈપણ રીતે પાલન કર્યું નથી, જેમાં સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેસોમાં ધરપકડ પહેલા નોટિસની જરૂર હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ધરપકડની માંગ કરતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું કે હૈદરાબાદના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનો સીધા કથિત નફરતના ભાષણનું પરિણામ છે. ટ્વિટર પર ઓવૈસીએ કહ્યું કે પોલીસે બુધવારે શાહ અલી બંદા વિસ્તારમાંથી 90 લોકોની અટકાયત કરી હતી અને તેમની દખલગીરી પછી અટકાયતમાં લેવામાં આવેલા લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
હૈદરાબાદના સાંસદે ટ્વિટર પર કહ્યું કે આ સ્થિતિ રાજા સિંહના નફરતભર્યા ભાષણનું સીધું પરિણામ છે. તેને વહેલી તકે જેલમાં મોકલવો જોઈએ. હું ફરી એકવાર શાંતિ જાળવી રાખવાની મારી અપીલને પુનરાવર્તિત કરું છું. હૈદરાબાદ આપણું ઘર છે, તેને સાંપ્રદાયિકતાનો શિકાર ના જોઈએ. તેમણે કહ્યું કે AIMIMના ધારાસભ્ય અહેમદ બિન અબ્દુલ્લા બલાલા અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્ટીના કાઉન્સિલરોએ તણાવને ઓછો કરવા માટે આખી રાત કામ કર્યું.