આજથી તાજમહેલ જોવું થયું ઘણું મોંઘુ, શું છે નવો ભાવ ?

તાજમહેલ જોવાના ભાવમાં થયો પાંચ ગણાનો વધારો દુનિયાભરમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ ધરાવતું અને દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ એવી દુનિયાની સૌથી સુંદર ઈમારત તાજમહેલને જોવુ આજથી મોંઘું થયુ છે. અગાઉ જે ટિકિટ ચાર્જ રૂ. 50 હતો તે હવે સીધો પાંચ ગણો વધી ગયો છે અને તે જોવા માટે ગઈકાલ સુધી તાજમહેલ જોવા માટે ભારતીય પર્યટકો પાસે […]

આજથી તાજમહેલ જોવું થયું ઘણું મોંઘુ, શું છે નવો ભાવ ?
Follow Us:
| Updated on: Dec 10, 2018 | 7:22 AM

તાજમહેલ જોવાના ભાવમાં થયો પાંચ ગણાનો વધારો

દુનિયાભરમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ ધરાવતું અને દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ એવી દુનિયાની સૌથી સુંદર ઈમારત તાજમહેલને જોવુ આજથી મોંઘું થયુ છે. અગાઉ જે ટિકિટ ચાર્જ રૂ. 50 હતો તે હવે સીધો પાંચ ગણો વધી ગયો છે અને તે જોવા માટે ગઈકાલ સુધી તાજમહેલ જોવા માટે ભારતીય પર્યટકો પાસે ટિકિટ ચાર્જ 50 રૂપિયા હતો તે વધારીને 250 કરવામાં આવ્યો છે.

આ તરફ વિદેશી પર્યટકો માટે તાજમહેલની ટિકિટ ચાર્જ 1100 રૂપિયા હતો તે વધારીને 1300 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, મહત્વનું છે કે તાજમહેલ જોવા માટે રોજનાં 35 થી 40 હજાર પર્યટકો આવે છે, અને રજાના દિવસે પર્યટકોની સંખ્યા 60 થી 70 હજાર સુધી પહોંચી જાય છે.

આ પણ વાંચો : 600 અંક તૂટ્યું સેન્સેક્સ! આખરે શેરબજારમાં કેમ મચ્યો હાહાકાર? એગ્ઝિટ પૉલ કે અમેરિકા, કોણ જવાબદાર?

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

શા માટે કરવામાં આવ્યો ભાવ વધારો ? 

હાલમાં સર્વે દ્વારા તાજ ભીડ મેન્જમેન્ટ માટે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા ટિકિટના ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું છે. ભાવ વધારાની સાથે તાજમહેલમાં પર્યટકો માટે સમય મર્યાદા પણ આગામી સમયમા નક્કી કરવામાં આવશે જેમા તાજમહેલ જોવા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે.

સુપ્રિમ કોર્ટનો ઠપકો ? 

એટલું જ નહીં અગાઉ તાજમહેલની સ્થિતિ અંગે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો પણ આપ્યો હતો, અને કહ્યું કે જો યૂનેસ્કો 17મી સદીની આ મુગલ સ્મારકને તેમની વર્લ્ડ હેરિટેજ યાદીથી બહાર કરે તો તમે શું કરશો ? અને ત્યાર બાદ ટિકિટના ભાવ વધારી ભીડ મેનેજમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે કહ્યું કે, આ એક વર્લ્ડ હેરિટેજ છે. શું થશે જ્યારે યૂનેસ્કો કહેશે કે તેમણે તાજ મહેલથી વર્લ્ડ હેરિટેજની સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી છે.

[yop_poll id=”182″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">