AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ

ટ્રાન્સ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહી છે.

પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ
former Mumbai Police Commissioner Parambir Singh (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:49 PM
Share

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લાગેલા આરોપોની નોંધ લીધી છે. ટ્રાન્સ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહી છે. પરમબીર સિંહ કેસમાં મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.

કોર્ટે પરમબીર સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. સાથે જ સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે સીબીઆઈની તપાસથી પોલીસના મનોબળને અસર થશે. સાથે જ વકીલે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈ પરમબીર સિંહ સાથે જોડાયેલા કેસોની તપાસ કરશે.

પરમબીર સિંહ કેસમાં CBI તપાસ થશે

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક મામલો સીબીઆઈ પાસે જવો જોઈએ, કોર્ટ બિલકુલ તેના પક્ષમાં નથી. તપાસ એજન્સી પર કેમ બિનજરૂરી બોજ નાખવો જોઈએ. આ જ સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે પરમબીર સિંહ ઘણા મહિનાઓથી ફરાર છે, સુપ્રીમ કોર્ટમાંથી રક્ષણ મળ્યા પછી જ તે સામે આવે છે. વકીલે દલીલ કરતા કોર્ટને કહ્યું હતું કે આવી વ્યક્તિની અરજી પર કેસ ટ્રાન્સફર કરવો યોગ્ય નથી. જો કે આ મામલે દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી

આ પણ વાંચો: Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">