AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ

ટ્રાન્સ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહી છે.

પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ
former Mumbai Police Commissioner Parambir Singh (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:49 PM
Share

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લાગેલા આરોપોની નોંધ લીધી છે. ટ્રાન્સ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહી છે. પરમબીર સિંહ કેસમાં મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.

કોર્ટે પરમબીર સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. સાથે જ સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે સીબીઆઈની તપાસથી પોલીસના મનોબળને અસર થશે. સાથે જ વકીલે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈ પરમબીર સિંહ સાથે જોડાયેલા કેસોની તપાસ કરશે.

પરમબીર સિંહ કેસમાં CBI તપાસ થશે

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક મામલો સીબીઆઈ પાસે જવો જોઈએ, કોર્ટ બિલકુલ તેના પક્ષમાં નથી. તપાસ એજન્સી પર કેમ બિનજરૂરી બોજ નાખવો જોઈએ. આ જ સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે પરમબીર સિંહ ઘણા મહિનાઓથી ફરાર છે, સુપ્રીમ કોર્ટમાંથી રક્ષણ મળ્યા પછી જ તે સામે આવે છે. વકીલે દલીલ કરતા કોર્ટને કહ્યું હતું કે આવી વ્યક્તિની અરજી પર કેસ ટ્રાન્સફર કરવો યોગ્ય નથી. જો કે આ મામલે દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી

આ પણ વાંચો: Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">