પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ

ટ્રાન્સ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહી છે.

પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ
former Mumbai Police Commissioner Parambir Singh (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:49 PM

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લાગેલા આરોપોની નોંધ લીધી છે. ટ્રાન્સ્ક્રિપ્ટ્સ કોર્ટના રેકોર્ડમાં છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી યોગ્ય છે, તેથી જ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહી છે. પરમબીર સિંહ કેસમાં મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.

કોર્ટે પરમબીર સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. સાથે જ સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે સીબીઆઈની તપાસથી પોલીસના મનોબળને અસર થશે. સાથે જ વકીલે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસના પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સીબીઆઈ પરમબીર સિંહ સાથે જોડાયેલા કેસોની તપાસ કરશે.

પરમબીર સિંહ કેસમાં CBI તપાસ થશે

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક મામલો સીબીઆઈ પાસે જવો જોઈએ, કોર્ટ બિલકુલ તેના પક્ષમાં નથી. તપાસ એજન્સી પર કેમ બિનજરૂરી બોજ નાખવો જોઈએ. આ જ સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે પરમબીર સિંહ ઘણા મહિનાઓથી ફરાર છે, સુપ્રીમ કોર્ટમાંથી રક્ષણ મળ્યા પછી જ તે સામે આવે છે. વકીલે દલીલ કરતા કોર્ટને કહ્યું હતું કે આવી વ્યક્તિની અરજી પર કેસ ટ્રાન્સફર કરવો યોગ્ય નથી. જો કે આ મામલે દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી

આ પણ વાંચો: Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">