કેપ્ટન અમરિન્દર સિંહ બુધવારે તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે! પ્રેસ કોન્ફરન્સ બોલાવી, અટકળોનો દોર ચાલુ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે અને જો ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ મળશે તો તેઓ 2022ની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાવા માટે પણ તૈયાર રહેશે.

કેપ્ટન અમરિન્દર સિંહ બુધવારે તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે! પ્રેસ કોન્ફરન્સ બોલાવી, અટકળોનો દોર ચાલુ
Captain Amarinder Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:18 PM

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) બુધવારે ચંદીગઢમાં પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જાહેરાત કર્યા બાદ રાજકીય અટકળોનો તેજ થઈ છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે અને જો ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ મળશે તો તેઓ 2022ની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાવા માટે પણ તૈયાર રહેશે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ ઘટનાક્રમ સામે આવ્યો છે. સિંહ, જેઓ ગયા મહિને રાજ્ય સરકારમાંથી બહાર નીકળી ગયા હતા, તેમણે કહ્યું હતું કે તેઓ સમાન વિચારધારા ધરાવતા પક્ષો જેમ કે અકાલીઓના વિભાજિત જૂથો સાથે જોડાણને પણ જોઈ રહ્યા છે. બે વખતના મુખ્યપ્રધાન રહેલા સિંહે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ તેમના લોકો અને તેમના રાજ્ય’નું ભવિષ્ય સુરક્ષિત નહીં કરે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં.

રંધાવાએ સિંહના આ પગલાને મોટી ભૂલ ગણાવી પંજાબના નાયબ મુખ્યપ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાએ મંગળવારે કહ્યું હતું કે, જો અમરિન્દર સિંહ નવો રાજકીય પક્ષ બનાવશે તો તે તેમની મોટી ભૂલ હશે. સિંહે કહ્યું કે જો તે આવું કરશે તો તે તેના પર ‘ડાઘ’ લાગશે. કોંગ્રેસે તેમનું સન્માન કર્યું અને તેઓ પક્ષમાં ઘણા હોદ્દા પર રહ્યા. રંધાવા પાકિસ્તાની પત્રકાર અરુસા આલમ સાથેની મિત્રતા માટે અમરિંદર સિંહ પર પણ પ્રહારો કરી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે આલમના કનેક્શનની તપાસ થવી જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સિદ્ધુનો આરોપ- 4.5 વર્ષમાં કેપ્ટન ફાર્મહાઉસમાંથી બહાર નથી આવ્યા પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ પણ નવો રાજકીય પક્ષ શરૂ કરવાના મુદ્દે અમરિંદર સિંહ પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે સિંહ છેલ્લા સાડા ચાર વર્ષમાં તેમના ફાર્મહાઉસમાંથી બહાર આવ્યા નથી અને હવે નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની વાત કરે છે.

તેમણે કહ્યું કે સિંહ પાસે પહેલેથી જ એક પાર્ટી છે અને તેઓ છેલ્લા ચાર વર્ષમાં થોડું કામ કરી શક્યા હોત. સિંહે ગયા મહિને નવજોત સિંહ સિદ્ધુ સાથેના રાજકીય સંઘર્ષ બાદ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ભૂતપૂર્વ મુખ્યપ્રધાને તેમના રાજીનામા પછી કહ્યું હતું કે તેઓ “અપમાનિત” અનુભવે છે. કોંગ્રેસે તેમના સ્થાને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા.

આ પણ વાંચો : Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય

આ પણ વાંચો : મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">