મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે આ બેઠક ત્યારે થવા જઈ રહી છે જ્યારે એક સપ્તાહ પહેલા ભારતે 100 કરોડ કોવિડ રસીકરણનો આંકડો પાર કર્યો હતો. અહેવાલ મુજબ માંડવિયા આ બેઠકમાં કોવિડ રસીના બીજા ડોઝને લાગુ કરવામાં વિલંબ અંગે પણ ચર્ચા કરશે.

મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Mansukh Mandaviya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 5:41 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાનની ગતિને ઝડપી બનાવવા ચર્ચા કરશે. સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે આ બેઠક ત્યારે થવા જઈ રહી છે જ્યારે એક સપ્તાહ પહેલા ભારતે 100 કરોડ કોવિડ રસીકરણનો આંકડો પાર કર્યો હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, માંડવિયા આ બેઠકમાં કોવિડ રસીના બીજા ડોઝને લાગુ કરવામાં વિલંબ અંગે પણ ચર્ચા કરશે.

21 ઓક્ટોબરે, દેશમાં રસીકરણની સંખ્યા 1 અબજને વટાવી ગયા પછી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હવે બીજા ડોઝની રાહ જોઈ રહેલા લોકો માટે રસી સુનિશ્ચિત કરવામાં આવશે. એક નિવેદનમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવા લાભાર્થીઓ પર ધ્યાન આપવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનના 11 કરોડથી વધુ ડોઝ હજુ બાકી છે, પરંતુ 10 કરોડ પાત્ર લોકો બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે.

કોવિડ રસીનો પ્રથમ ડોઝ ભારતમાં 76 ટકા પુખ્ત વસ્તીને આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 1,02,94,01,119 રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી 71.91 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 31.02 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. બંને ડોઝ લેતી વસ્તી 32 ટકા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ મિશન પર પણ ચર્ચા થવાની અપેક્ષા માંડવિયા બુધવારે ‘પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ મિશન’ પર સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે પણ ચર્ચા કરી શકે છે. માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું કે આ હેઠળ તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓ સાથેના બે કન્ટેનર ગોઠવવામાં આવશે, જેને કટોકટીની સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે. તેમણે માહિતી આપી હતી કે દરેક કન્ટેનરમાં 200 બેડની ક્ષમતા હશે અને તે દિલ્હી અને ચેન્નાઈમાં લગાવવામાં આવશે. આ કન્ટેનર કટોકટીની સ્થિતિમાં હવાઈ અથવા ટ્રેન દ્વારા લઈ શકાય છે.

ભારત સરકારે આ વર્ષના અંત સુધીમાં તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેથી, રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે રાજ્યો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોવિડ-19 રસી બનાવતી ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓને પણ મળ્યા અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી. વડાપ્રધાન સાથેની આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઈ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Covaxin ને આગામી 24 કલાકમાં WHO તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે, વેક્સિનના ડેટાનું મૂલ્યાંકન કરવું આવશ્યક

આ પણ વાંચો : શું SC અને STને સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત મળશે? સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય અનામત રાખ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">