AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધતા હુમલા અંગે પુરીના શંકરાચાર્યએ આપ્યુ આ મોટુ નિવેદન- વાંચો

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરવા માગણી કરી છે. શંકરાચાર્યે કહ્યું કે બાંગ્લાદેશમાં તમામ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતમાંથી છૂટા પડીને બન્યા છે. એક સમયે બાંગ્લાદેશ પણ ભારત જ હતું. આ લોકોની હેસિયત શું છે કે આપણને જ આંખ દેખાડે છે. શંકરાચાર્યે આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધતા હુમલા અંગે પુરીના શંકરાચાર્યએ આપ્યુ આ મોટુ નિવેદન- વાંચો
| Updated on: Dec 25, 2025 | 1:51 PM
Share

પુરી શંકરાચાર્યએ બાંગ્લાદેશને તેના પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની યાદ અપાવતા કહ્યું કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર ઐતિહાસિક રીતે ભારતનો ભાગ રહ્યા છે. તેમણે એ પણ નોંધ્યું કે બંગાળમાં ઘણા મુસ્લિમોના પૂર્વજો હિન્દુ હતા જેમને વિવિધ પરિસ્થિતિઓમાં ઇસ્લામ ધર્મમાં કન્વર્ટ થવાની ફરજ પાડવામાં આવી હતી.

પુરીના શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદજી સરસ્વતી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારો અંગે ગંભીર ચેતવણી આપી છે. ગંગાસાગર મેળામાં પત્રકારો સાથે વાત કરતા, શંકરાચાર્યએ હિન્દુ સમુદાય પરના હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને જો હિન્દુઓ પર અત્યાચાર ચાલુ રહેશે તો બાંગ્લાદેશને “ગંભીર પરિણામો” ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે બાંગ્લાદેશ દૂરંદેશીતાનો અભાવ બતાવી રહ્યું છે. જો હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવે અથવા તેમને હાંકી કાઢવામાં આવે, તો અન્ય સ્થળોએ જ્યાં મુસ્લિમ વસ્તી ઓછી છે ત્યાં તેમનું શું થશે? તેમણે સમુદાયો વચ્ચે પરસ્પર આદરની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પુરીના શંકરાચાર્યએ બાંગ્લાદેશને તેના પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની યાદ અપાવતા કહ્યું કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર ઐતિહાસિક રીતે ભારતનો ભાગ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે બંગાળમાં ઘણા મુસ્લિમોના હિન્દુ પૂર્વજો હતા જેમને વિવિધ પરિસ્થિતિઓમાં ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી.

“મુસ્લિમોએ હિન્દુઓ પ્રત્યે દુશ્મનાવટ ટાળવી જોઈએ”

તેમણે કહ્યું કે મુસ્લિમોએ સમજવું જોઈએ કે જેમના પૂર્વજો હિન્દુ હતા તેઓ ખરેખર તેમના પોતાના સગા છે. શંકરાચાર્યએ હિન્દુઓની પ્રશંસા કરી જેમણે ભારે પડકારો છતાં પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે. હિન્દુઓ પ્રત્યે આદર અને એકતાની અપીલ કરતા, તેમણે મુસ્લિમોને હિન્દુઓ પ્રત્યે દુશ્મનાવટ ટાળવાની સલાહ આપી. તેમણે ચેતવણી આપી કે જો આ દુશ્મનાવટભર્યુ વર્તન ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

“હિંદુઓને હેરાન કરવાથી બચો”

પુરી શંકરાચાર્યે કહ્યું કે જે હિન્દુઓએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાના ધર્મ સાથે સમાધાન કર્યું નથી તેઓ આદરને પાત્ર છે. તેથી, હું મુસ્લિમોને અપીલ કરું છું કે તેઓ હિન્દુઓનો આદર કરે, તેમની સાથે ઉભા રહે અને તેમને હેરાન કરવાનું ટાળે. નહિંતર, ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી અંગે ચિંતાઓ વધી રહી છે, મંદિરમાં તોડફોડ, બળજબરીથી ધર્માંતરણ અને જમીન હડપ કરવાની ઘટનાઓ હિન્દુ સમુદાયને સંવેદનશીલ બનાવી રહી છે.

ગુજરાતની એ પ્રથમ લેડી ડોન જેમણે ખુદ ક્યારેય હથિયાર ન ઉઠાવ્યા પરંતુ દુશ્મનોને વીણી-વીણીને સાફ કરી નાખ્યા… વાંચો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">