ખનીજ પરની રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકારને ઝટકો, આ રાજ્યોને થશે ફાયદો

|

Jul 25, 2024 | 1:09 PM

ખનીજ પરના વેરાને લઈને રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના મતભેદો પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ખનીજ પરની રોયલ્ટીને ટેક્સ તરીકે ગણી શકાય નહીં. આ રીતે કેન્દ્રને આંચકો લાગ્યો છે.

ખનીજ પરની રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકારને ઝટકો, આ રાજ્યોને થશે ફાયદો

Follow us on

ખનીજ પરના વેરાને લઈને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે જે વિવાદ છે તેના પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ખનીજ પરની રોયલ્ટીને ટેક્સ તરીકે ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 8:1 બહુમતીથી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, સંસદને બંધારણની જોગવાઈઓ હેઠળ ખનિજ અધિકારો પર ટેક્સ લગાવવાની સત્તા નથી.

ચીફ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે જસ્ટિસ બીવી નાગરથનાએ ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ છે કે નહીં તે અંગે અસંમત ચુકાદો આપ્યો છે. અન્ય 8 ન્યાયાધીશોએ સર્વસંમતિથી કહ્યું કે, તેને ટેક્સ ગણી શકાય નહીં. આ રીતે બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે કે ખનીજ પર ચૂકવવામાં આવતી રોયલ્ટી એ ટેક્સ નથી.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવનારી બેન્ચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, એએસ ઓકા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, બીવી નાગરથના, ઉજ્જલ ભૂયણ, સતીશ ચંદ્ર શર્મા, ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

જસ્ટિસ બીવી નાગરથ્ના બેન્ચના એકમાત્ર જજ હતા જેમણે બહુમતીથી અલગ અભિપ્રાય આપ્યો હતો. પોતાના અને અન્ય 7 ન્યાયાધીશો વતી ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બંધારણ મુજબ કેન્દ્ર કે સંસદને ખનિજો પર ટેક્સ લાદવાનો અધિકાર નથી. કોર્ટે આ જોગવાઈ બંધારણની યાદી 2 હેઠળ આપી છે. આમાં ખનીજ પરના ટેક્સનું વર્ણન કરવામાં આવ્યું છે.

કોર્ટના નિર્ણયથી કયા રાજ્યોને ફાયદો થશે

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યોને ઘણો ફાયદો થશે. હવે આ મામલે બુધવારે ફરી સુનાવણી થશે, જેમાં કોર્ટ વિચારણા કરશે કે આ નિર્ણયને પૂર્વનિર્ધારિત રીતે લાગુ કરવો જોઈએ કે ચુકાદો આપ્યા બાદની અસરથી. પોતાના નિર્ણયમાં ચીફ જસ્ટિસે 1989માં આપેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ખોટો ગણાવ્યો હતો. તે ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે ખનીજ પરની રોયલ્ટી ટેક્સ છે.

Next Article