Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ
ઓરિસ્સામાં ( Odisha)માં 12 જુલાઇએ વાર્ષિક રથયાત્રા પૂર્વે રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે કોરોના પ્રોટોકોલના કડક પાલન વચ્ચે ફક્ત પુરીમાં આ ઉત્સવ યોજાશે. આ વર્ષે પણ ભક્તોને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં
ઓરિસ્સામાં ( Odisha)માં 12 જુલાઇએ જગન્નાથ પુરીમાં યોજાનારી વાર્ષિક રથયાત્રા(Rath Yatra)ના એક મહિના પૂર્વે જ રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી કે આ વર્ષે પણ ભક્તોને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના(Corona) પ્રોટોકોલના કડક પાલન વચ્ચે ફક્ત પુરીમાં આ ઉત્સવ યોજાશે. રાજ્ય સરકારે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે જાહેર કરેલી તમામ માર્ગદર્શિકાનું આ પ્રસંગે ધાર્મિક વિધિઓ દરમિયાન પાલન કરવું પડશે.
શહેરમાં રથયાત્રાના દિવસે કર્ફ્યુ લગાવાશે
વિશેષ રાહત કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા(Rath Yatra) પુરીમાં ભક્તો વિના યોજાશે. વહીવટીતંત્રે રાજ્યના અન્ય ભાગોમાં આવા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. એસઆરસીએ જણાવ્યું હતું કે માત્ર પસંદ કરેલા સેવકોને જ જે કોરોના(Corona)નેગેટિવ અને રસીના બંને ડોઝ લીધા છે તેમને ‘સ્નાન પૂર્ણિમા’ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ પવિત્ર શહેરમાં રથયાત્રાના દિવસે કર્ફ્યુ લગાવાશે.
ભક્તો ટેલિવિઝન અને વેબકાસ્ટ પર લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે
જેનાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રથયાત્રા(Rath Yatra) કાર્યક્રમ દરમિયાન લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો આ વખતે પણ અમલમાં રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે ભક્તો ટેલિવિઝન અને વેબકાસ્ટ પર આ કાર્યક્રમોનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે નવ દિવસની લાંબી રથયાત્રા શિડ્યુલ મુજબ શરૂ થશે અને આ ગાળામાં માત્ર 500 સેવકોને રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સમય દરમિયાન તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવશે.
આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે
જિલ્લા મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે પુરીમાં હજી પણ દરરોજ કોરોના(Corona) વાયરસના ચેપના 300 જેટલા કેસ નોંધાય છે. તેમણે કહ્યું, ‘તહેવાર દરમિયાન ફક્ત આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન પુરીમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આની સાથે રથના નિર્માણનું કામ અંતિમ તબક્કે પહોંચી ગયું છે અને તેમાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.