AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ

ઓરિસ્સામાં ( Odisha)માં 12 જુલાઇએ વાર્ષિક રથયાત્રા પૂર્વે રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે કોરોના પ્રોટોકોલના કડક પાલન વચ્ચે ફક્ત પુરીમાં આ ઉત્સવ યોજાશે. આ વર્ષે પણ ભક્તોને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં

Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ
જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા
| Updated on: Jun 10, 2021 | 6:43 PM
Share

ઓરિસ્સામાં ( Odisha)માં 12 જુલાઇએ જગન્નાથ પુરીમાં યોજાનારી વાર્ષિક રથયાત્રા(Rath Yatra)ના એક મહિના પૂર્વે જ રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી કે આ વર્ષે પણ ભક્તોને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના(Corona) પ્રોટોકોલના કડક પાલન વચ્ચે ફક્ત પુરીમાં આ ઉત્સવ યોજાશે. રાજ્ય સરકારે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે જાહેર કરેલી તમામ માર્ગદર્શિકાનું આ પ્રસંગે ધાર્મિક વિધિઓ દરમિયાન પાલન કરવું પડશે.

શહેરમાં રથયાત્રાના દિવસે કર્ફ્યુ લગાવાશે

વિશેષ રાહત કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા(Rath Yatra) પુરીમાં ભક્તો વિના યોજાશે. વહીવટીતંત્રે રાજ્યના અન્ય ભાગોમાં આવા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. એસઆરસીએ જણાવ્યું હતું કે માત્ર પસંદ કરેલા સેવકોને જ જે કોરોના(Corona)નેગેટિવ અને રસીના બંને ડોઝ લીધા છે તેમને ‘સ્નાન પૂર્ણિમા’ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ પવિત્ર શહેરમાં રથયાત્રાના દિવસે કર્ફ્યુ લગાવાશે.

ભક્તો ટેલિવિઝન અને વેબકાસ્ટ પર લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે

જેનાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રથયાત્રા(Rath Yatra) કાર્યક્રમ દરમિયાન લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો આ વખતે પણ અમલમાં રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે ભક્તો ટેલિવિઝન અને વેબકાસ્ટ પર આ કાર્યક્રમોનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે નવ દિવસની લાંબી રથયાત્રા શિડ્યુલ મુજબ શરૂ થશે અને આ ગાળામાં માત્ર 500 સેવકોને રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સમય દરમિયાન તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવશે.

આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે પુરીમાં હજી પણ દરરોજ કોરોના(Corona) વાયરસના ચેપના 300 જેટલા કેસ નોંધાય છે. તેમણે કહ્યું, ‘તહેવાર દરમિયાન ફક્ત આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન પુરીમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આની સાથે રથના નિર્માણનું કામ અંતિમ તબક્કે પહોંચી ગયું છે અને તેમાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">