AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: આજથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે એપ્રિલ મહિનાથી બંધ રાખવામાં આવ્યું હતુ. પરંતુ હવે કોરોનાની સ્થિતિ હળવી થતા રાષ્ટ્રપતિભવન અને મ્યુઝિયમ સંકુલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

Delhi: આજથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે
Rashtrapati Bhavan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 11:35 AM
Share

આજથી રાષ્ટ્રપતિભવન અને મ્યુઝિયમ (Museum) સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે. પ્રવાસીઓ અઠવાડિયામાં છ દિવસ સુધી ભવનની મુલાકાત કરી શકશે. ઉપરાંત જાહેર રજાઓને બાદ કરતાં ચાર પ્રી-બુક કરેલ ટાઇમ સ્લોટમાં (Time Slot) મુલાકાત કરી શકાશે.

કોરોનાની સ્થિતિને (Corona Condition) ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ એપ્રિલ મહિનાથી (April) બંધ રાખવામાં આવ્યું હતુ. પરંતુ હવે કોરોનાની સ્થિતિ હળવી થતા રાષ્ટ્રપતિભવન અને મ્યુઝિયમ (Museum) સંકુલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) રવિવારથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, સવારે 10:30 થી 11, બપોરે 12:30 થી 1:30 અને બપોરે 2:30 થી 3:30 વચ્ચે સ્લોટ દીઠ મહત્તમ 25 મુલાકાતીઓ જ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકશે.

જ્યારે, રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ મંગળવારથી રવિવાર સુધી અઠવાડિયામાં છ દિવસ ખુલ્લું રહેશે અને જાહેર રજાઓને બાદ કરતાં ચાર પ્રી-બુક કરેલ ટાઇમ સ્લોટમાં તેનો લાભ લઇ શકાશે. સ્લોટની વિગતવાર વાત કરવામાં આવે તો સવારે 9:30 થી 11, 11:30 થી 1, 1:30 થી 3 અને 3:30 થી 5 ની વચ્ચે, મહત્તમ 50 મુલાકાતીઓ મ્યુઝિયમ સંકુલને નિહાળી શકશે.

આ રીતે કરો સ્લોટ બુક

રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ ભારતની કલા, સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસનું પ્રતીક કરતી અમૂલ્ય કલાકૃતિઓ પ્રદર્શિત કરે છે. જે લોકો રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. તેમણે https://presidentofindia.nic.in અથવા https://rashtrapatisachivalaya.gov.in/ અથવા https://rbmuseum.gov.in/ ઓનલાઈન બુકિંગ કરી શકે છે.

આ વેબસાઈટ (Website) ખોલતા તમને Book Now નો ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ, તમારે ઉપલબ્ધ સ્લોટ અને તમારી પસંદગી અનુસાર તારીખ પસંદ કરવાની રહેશે. આ સાથે જ એક ફોર્મ ભરવાનું રહેશે અને ફી જમા કરાવવાની રહેશે. રાષ્ટ્રપતિ ભવનએ ભારતના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે અને તે દેશની લોકશાહી પરંપરાઓ અને બિનસાંપ્રદાયિક પ્રકૃતિના દર્શન કરાવે છે.

આ પણ વાંચો: Uttar Pradesh: યોગી સરકારના બાબુઓ નહીં કરી શકે બિઝનેસ ક્લાસમાં હવાઈ યાત્રા, નવી ગાડીઓ લેવા પર પણ રોક

આ પણ વાંચો: Weather Forecast: આ 6 રાજ્યોમાં છે જોરદાર વરસાદની સંભાવના, જાણો દેશના ક્યાં ભાગમાં જારી કરાયું રેડ એલર્ટ ?

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">