Ramnavami 2024 : રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર, જુઓ વીડિયો

Ramnavmi 2024 : બપોરે 12 વાગ્યે રામ લલ્લાના સૂર્ય તિલક કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર રામલલ્લાનો જન્મ આ સમયે એટલે કે ચૈત્ર મહિનામાં ત્રેતાયુગમાં થયો હતો. વૈજ્ઞાનિકોએ અરીસા દ્વારા રામલલ્લાના માથા પર સૂર્યના કિરણો પહોંચાડ્યા છે.

Ramnavami 2024 : રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર, જુઓ વીડિયો
Ram Navami 2024 ram lala dress Special fabric
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2024 | 11:31 AM

Ramnavami 2024 : રામનવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે. ઘણી ધાર્મિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.

ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ તેમની પ્રથમ રામ નવમી છે. આવી સ્થિતિમાં રામનવમી નિમિત્તે અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

TV9 સાથેની વાતચીત દરમિયાન ડ્રેસ ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ રામલલ્લાને પહેરાવામાં આવતા પોશાક વિશે કેટલીક માહિતી આપી હતી. આવો જાણીએ શું કહે છે ફેમસ ડ્રેસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠી.

મોટાભાગે બુધવારે લીલા રંગના જ વસ્ત્રો કરે છે ધારણ

રામલલાના ડ્રેસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, રામ નવમી માટે ખાસ પ્રકારના ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. તેમની જન્મજયંતિ પર ભગવાનને પીતાંબર એટલે કે પીળા રંગના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભગવાન દરરોજ એક જ ડ્રેસ પહેરે છે. પરંતુ રામ નવમીના અવસર પર પોતાનો ડ્રેસ બદલશે. ખાદી અને સિલ્કનું મિશ્રણ કરીને રામલલ્લાનો પોશાક તૈયાર કરવામાં આવ્યો છે.

(Credit Source : @MrSinha_)

ભગવાન રામલલ્લા જે કપડાં પહેરશે તે ખાસ છે. ગરમીને ધ્યાનમાં રાખીને આ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે રામલલ્લાની જન્મજયંતિ બુધવારે છે. સામાન્ય રીતે રામલલ્લા બુધવારે લીલા કપડાં પહેરે છે, પરંતુ આજે બુધવારે રામનવમી હોવાથી તેમણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે.

તૈયારીઓ કેવી ચાલી રહી છે?

આ રામનવમી એટલા માટે પણ ખાસ છે, કારણ કે દેશમાં પહેલીવાર રામનવમી નવા મંદિરમાં રામલલ્લા સાથે ઉજવવામાં આવી રહી છે.  આ પ્રસંગે મંદિરના જન્મભૂમિ પથથી લઈને ગર્ભગૃહ સુધી દરેક જગ્યાએ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરને સુંદર રોશનીથી પણ ઝળહળતું કરવામાં આવ્યું છે. આ દિવસે રામલલ્લાના દર્શન માટે લાખો ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે.

રામ નવમીના દિવસે મંદિર પરિસરમાં પ્રખ્યાત કલાકારો દ્વારા ગીત, સંગીત અને અભિનંદન ગીતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 4 થી 11 વાગ્યા સુધી ભક્તો રામ લલ્લાના દર્શન કરી શકશે.

સૂર્ય તિલક ક્યારે થશે?

કહેવામાં આવી રહ્યું છે કે રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ સમયને અભિજીત મુહૂર્ત તરીકે વર્ણવવામાં આવ્યો છે. વાલ્મીકિ રામાયણ અનુસાર રામલલ્લાનો જન્મ આ સમયે ત્રેતાયુગમાં થયો હતો. વૈજ્ઞાનિકોએ અરીસા દ્વારા રામલલ્લાના લલાટ પર સૂર્યના કિરણો પહોંચાડ્યા છે. સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલ્લાના લલાટની સુંદરતામાં વધારો કરશે.

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">