લગ્નમાં સામેલ 95 લોકો કોરોના પોઝિટિવ, કન્યાના પિતાનું મોત થતા ગામમાં સન્નાટો

લગ્ન જેઓ ખુશીનો પ્રસંગ કોરોનાના કારણે દુઃખમાં ફેરવાઈ ગયો. ગામ આખામાં ખળભળાટ ત્યારે મચી ગયો જ્યારે એક સાથે 95 લોકો કોરોના સંક્રમિત મળ્યા.

લગ્નમાં સામેલ 95 લોકો કોરોના પોઝિટિવ, કન્યાના પિતાનું મોત થતા ગામમાં સન્નાટો
લગ્નમાં સામેલ 95 લોકો કોરોના સંક્રમિત
Follow Us:
| Updated on: May 21, 2021 | 4:11 PM

કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. લોકો ડરીને હવે ઘરથી બહાર નીકળવાનું ટાળે છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં ઘણા નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગોમાં ભારે ભીડ જોવા મળે છે. રાજસ્થાનના એક ગામમાં ચોંકાવનારી ઘટના ઘટી છે.

વાત એમ છે કે રાજસ્થાનના ગામમાં એક જ દિવસમાં 95 કોરોના સંક્રમિત મળ્યા. ઝૂંઝનુ જિલ્લાના સ્યાલૂ કલા ગામમાં ત્રણ લગ્નમાં શામેલ 150 લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં 95 લોકો પોઝિટિવ મળી આવ્યા, એટલું જ નહીં લગ્ન દરમિયાન કન્યાના પિતાનું પણ મોત થઇ ગયું. જેના કારણે આજુબાજુના ગામમાં પણ ડરનો માહોલ છે.

આ ગામના એક વ્યક્તિનું કહેવું છે કે કોરોનામાં ગામના 95 લોકો પોઝિટિવ આવ્યા હતા. 25 એપ્રિલના રોજ ગામમાં ત્રણ લગ્ન થયા હતા અને આ દરમિયાન કન્યાના પિતાનું પણ મોત નીપજ્યું હતું. પહેલાં ગામના લોકોને કોરોનામાં વિશ્વાસ ન હતો અને તેઓ બિન્દાસ ફરતા હતા. જ્યારે દરેકની તપાસ કરવામાં આવી ત્યારે સૌ ડરી ગયા. હવે સૌ પોતાના ઘરોમાં છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

એટલું જ નહીં ગામના એક નાગરિકનું કહેવું છે કે કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં જ અધિકારીઓ આ ગામમાં આવવાનું ટાળવા લાગ્યા. લોકો હવે આ ગામનું નામ સાંભળતા જ પોતાનો માર્ગ બદલી નાખે છે.

અત્યારે ગામમાં ગમગીન માહોલ છે. લોકો ઘરમાંથી બહાર આવતા પણ ડરે છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન સરકારે લગ્નમાં માત્ર 11 લોકો હાજર રહેવાની છૂટ આપેલી હતી. અને એક લાખનો દંડ પણ નક્કી કર્યો હતો. તેમ છતાં અહિયાં નિયમોનું ઉલંઘન થયું. જેના કારણે હવે સૌએ ભોગવવું પડી રહ્યું છે.

પહેલા લોકોને લાગતું હતું કે કોરોના માત્ર શહેરમાં જ છે પરંતુ આ ગામનો કિસ્સો સાંભળીને સૌ હચમચી ગયા છે. ગામમાં થતા મૃત્યુના કારણે એક ડર પણ ફેલાયો છે, હવે લોકો આની ગંભીરતા સમજી રહ્યા છે.

આ પણ વાંચો: દમ લગા કે હૈસા: ઉદઘાટન કરવા આવેલા મંત્રીએ Ambulance ને મારવો પડ્યો ધક્કો, તોયે શરુ ના થઇ

આ પણ વાંચો: Columbus Birthplace: કોલંબસના જન્મસ્થળને લઈને ખુલ્યો ભેદ, જાણો DNA રિપોર્ટ શું કહે છે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">