Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસ એટલે કે આવતીકાલે, બુધવારે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે
Punjab AAP govt declares public holiday on March 23Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:53 PM

Punjab: પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સત્તામાં આવી છે અને રાજ્યની ભગવંત માન (Bhagwant Mann ) સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભા (Assembly)માં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ વખત સમગ્ર પંજાબમાં શહીદ દિવસની રજા છે.

આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી સરદાર ભગવંત માને કહ્યું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજો સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી.

Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 11 મહિનાની વેલિડિટી
ચાર્જર લગાવ્યા પછી પણ ફોન ચાર્જ થતો નથી? ગભરાશો નહીં, આ ટિપ્સ કરો ફોલો
Tulsi: તુલસીની આસપાસ પ્રદક્ષિણા કરવાથી શું ફાયદો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 15-03-2025
Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો

ભગતસિંહના મૂળ ગામમાં શપથ લેવામાં આવ્યા હતા

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને ગયા અઠવાડિયે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે સરદાર ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે શપથ લીધા હતા. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા માનને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદથી માન, ભગત સિંહની વિચારધારાને આગળ ધપાવવાનો સતત દાવો કરી રહ્યા છે.

ભગવંત માન ભગત સિંહના સન્માનમાં બસંતી પાઘડી પહેરે છે. ભગવંત માને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા લોકોને બસ્તી રંગની પાઘડી પહેરીને આવવાની અપીલ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માને તેમની ઓફિસમાં સરદાર ભગત સિંહ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરો લગાવી હતી.

આ પણ વાંચો : Earthquakes: ભૂકંપની ‘સુનામી’થી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
g clip-path="url(#clip0_868_265)">