RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR

Bihar Student Protest: RRB-NTPC પરિણામનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રેલ્વેની સંપતિની તોડફોડ કરી અને ટ્રેનના ડબ્બાઓને આગ લગાડી હતી. પોલીસે ભોજપુરમાં 700 અને નવાદામાં 500 અજાણ્યાઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ સાથે અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે

RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR
આંદોલનકારી વિદ્યાર્થીઓએ ટ્રેનના ડબ્બાને લગાવી આગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 1:26 PM

BIHAR RRB NTPC PROTEST : બિહારમાં પોલીસે RRB-NTPC પરિણામના વિરોધના નામે હિંસા આચરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ભોજપુરમાં 700 અજાણ્યાઓ પર FIR નોંધી છે. આમાં RPF પોલીસ સ્ટેશનમાં 200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જ્યારે GRP પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓના નામ સહિત 500 વિદ્યાર્થીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. જીઆરપી પોલીસ સ્ટેશનમાં જે 4 સામે કેસ નોંધાયા છે તેમાં અરુણ કુમાર પંડિત, વિષ્ણુ શંકર પંડિત, વરુણ પંડિત અને રવિશંકર કુમાર પંડિતની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે પોલીસ ગયામાં ટ્રેનની બોગીમાં આગ લગાવનારા લોકોની પણ ઓળખ કરી રહી છે. પોલીસ વીડિયો ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. આ સાથે પોલીસ શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

રાજેન્દ્ર નગર ટર્મિનલથી આંદોલન શરૂ થયું બિહારમાં ગત સોમવારે પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલથી શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલને મંગળવાર સુધી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મંગળવારે વિદ્યાર્થીઓએ આરામાં સ્ટેશનના પશ્ચિમ ગુમતી પર પાર્ક કરેલી આરા-સાસારામ એક્સપ્રેસના એન્જિનમાં આગ લગાવી દીધી હતી. જે બાદ એન્જિનની અંદરનો આખો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. આ પછી લોકો પાયલટ રવિ કુમારે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તો નવાડામાં બદમાશોએ મેન્ટેનન્સની કારને ઉડાવી દીધી હતી.

નવાદામાં તોફાની વિદ્યાર્થીઓએ રેલ્વે મેન્ટેનન્સ વાહનને આગ લગાડી અને પાટા ઉખેડી નાખ્યા. આ પછી પોલીસે અહીં 500 અજાણ્યાઓ પર FIR નોંધી છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. તેમજ 28 લોકોને જામીન બાદ મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, પોલીસે અહીં હંગામો મચાવવા બદલ 32 લોકોની અટકાયત કરી હતી, જેમને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભીખાણા ડુંગરમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ ઉમટી મંગળવારે પટનાના ભીખાના ટેકરી પર વિદ્યાર્થીઓની ભારે ભીડ એકઠી થઈ હતી. જે બાદ પોલીસે ભીડને વિખેરવા વોટર કેનન પડે પાણીનો મારો કર્યો હતો. આમ છતાં વિદ્યાર્થીઓએ ત્યાં જ ઉભા રહીને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પછી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

ગયામાં ટ્રેનની ચાર બોગી સળગાવી બુધવારે પોલીસની આ કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓ વધુ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓએ ગયા, જહાનાબાદ, વૈશાલી, આરા, બક્સર, નવાદા, નાલંદામાં ટ્રેન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. ગયામાં વિદ્યાર્થીઓએ સ્ટેશન પર ઉભેલી ટ્રેનની બોગીને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની બોગી બળીને રાખ થઈ ગઈ હતી. આ પછી, રેલ્વેએ વિદ્યાર્થીઓની રજુઆત અને માંગને લઈને એક સમિતિની રચના કરી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદ યોજીને વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી અને સમિતિ સાથે તેમના મુદ્દા રાખવા વિનંતી કરી. રેલ્વે મંત્રીએ પરીક્ષાને લગતી ઘણી જાહેરાતો પણ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓએ હંગામો બંધ ન કર્યો અને ગયામાં સાંજે 4 વાગ્યે ટ્રેનની વધુ ત્રણ બોગીને આગ ચાંપી દેવાઈ હતી..

આ પણ વાંચોઃ

RRB NTPC Exam Protest : શુક્રવારે બિહાર બંધનુ એલાન, આંદોલનને પગલે રેલ્વેના અનેક રૂટ ડાયવર્ટ

આ પણ વાંચોઃ

RRB NTPC Exam Protest: વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં પટનાના ચર્ચિત શિક્ષક ખાન સર સહિત અનેક સંસ્થાઓ સામે કેસ દાખલ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">