#PMNarendraModi: વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા, સોશિયલ મીડિયામાં લોકોએ કેટલાક મેમ્સ શેર કર્યા
#PMNarendraModi: દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લોકો સોશ્યલ મીડિયા પર આ અંગે ઘણી અટકળો કરી રહ્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લોકો સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી અટકળો કરી રહ્યા છે. આ સાથે લોકો #PMNarendraModi, #PMModi સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોએ આ હેશટેગ સાથે અનેક મેમ્સ શેર કર્યા છે. જેમાં લોકોએ પોતાની ભાવનાઓને પ્રદર્શિત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. પરંતુ, આ ટ્વીટમાં મોદી શેના વિશે વાત કરવાના છે તેનો કોઇ ફોડ પાડવામાં આવ્યો ન હતો. નોંધપાત્ર વાત એ છે કે, આજથી જ કોરોનાની બીજા લહેરમાં કેસોના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેથી સોમવારે એટલે કે 7 જૂનનાં રોજ પીએમ મોદીનું સંબોધન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું.
જોકે, પીએમ મોદીના સંબોધન પહેલા લોકોમાં આ અંગે ઘણી ચર્ચાઓએ જોર પકડયું હતું. કારણકે મોદી પોતાના સંબોધનમાં કંઇ બાબતે વાત કરશે તેને લઇને લોકોએ અનેક અટકળો લગાવી હતી. અને, આ અટકળો અને વિષયો બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ મેમ્સ શેર કર્યા હતા. આ મેમ્સ ભારે ટેન્ડ પણ થયા છે.
લોકોએ મોદીના સંબોધન પહેલા #PMNarendraModi, #PMModi # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. લોકો આ હેશટેગ સાથે અનેક મેમ્સ શેર કરી રહ્યાં છે.
#PMModi will address the nation at 5pm today.
*Entire country:#PMModiAddress pic.twitter.com/9W3TSHdOgi
— Yogesh Jadhav (@theyogeshjadhav) June 7, 2021
#PMModi#PMNarendraModi will address the nation at 5 pm.
Meanwhille TV : pic.twitter.com/AbrOe6iPgC
— Rofl Stalin 1.0 (parody) (@Stalinhhr) June 7, 2021
Mitron @5pm today!! pic.twitter.com/g7LmaSIjLV
— HinduKopster (@KopsterKc) June 7, 2021
Mitron … I'm coming!!#PMNarendraModi #PMModi pic.twitter.com/I3rZMLW3ny
— Andy (@iamandy1987) June 7, 2021
Public…
At 5:00 PM At 5:10 pic.twitter.com/LGgLYJTPNJ
— Irfan | عرفان | इरफान 🇮🇳 (@iam_shaikhirfan) June 7, 2021
https://twitter.com/yuvrajuv444/status/1401854066351775745
તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળો આવ્યો ત્યારથી વડાપ્રધાન મોદી 8 વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે. આ વખતે વડાપ્રધાને 9મી વખત કોરોનાકાળમાં દેશના લોકોને સંબોધિત કર્યા હતા. જેથી પીએમ મોદી કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે, તે અંગે અગાઉથી કોઇ સત્તાવાર રીતે માહિતી અપાઇ ન હતી, પરંતુ લોકોમાં આ અંગે ઘણું કુતુહલ છવાયું હતું. જેથી લોકોએ પોતાની લાગણી, ભાવનાઓને વ્યક્ત કરવા આ મેમ્સ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ભારે ટેન્ડ પણ થઇ રહ્યાં છે.