PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે 500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે. TV9 Gujarati Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે? […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે.
મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ મહેસાણાથી આ મહત્વાકાંક્ષી યોજના લૉંચ કરવાના છે. આ યોજનાને દેશના તમામ જિલ્લાઓમાં એક સાથે શરુ કરવામાં આવશે.
શ્રમયોગી માનધન પેંશન યોજના હેઠળ ફેરી કરી સામાન વેચનારાઓ, રિક્શા-લારી ચલાવનારાઓ, રોજમદાર મજૂરી કરનારાઓ, ઘરોમાં કામ કરનારી મહિલાઓ-પુરુષો જેવા અસંગઠિત ક્ષેત્રના મજૂરોને 60 વર્ષ બાદ 3000 રૂપિયા માનસિક પેંશન આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે આ યોજના માટે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. યોજના હેઠળ માસિક 15 હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતી 18થી 20 વર્ષની વ્યક્તિનું પેંશન ખાતું ખોલવામાં આવશે. તેમાં મજૂરોને દર મહિને એક ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરવું પડશે. જેટલું પ્રીમિયમ હશે, તેટલા રૂપિયાની સબસીડી સરકાર તરફથી આપવામાં આવશે.
રાષ્ટ્રીય સૅમ્પલ સર્વે સંગઠન (NSSO)ના આંકડાઓ મુજબ દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો-લોકોની સંખ્યા 40 કરોડથી વધારે છે. આમાંથી અડધાથી વધુ મજૂરો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે. લગભગ 5 કરોડ લોકો કંસ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી કરી રહ્યા છે. સેવા ક્ષેત્રમાં પણલગભગ 15 કરોડ લોકો દૈનિક મજૂરી કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]