Russia Ukraine War: યુક્રેન સંકટની વચ્ચે સુરક્ષાની તૈયારીઓ માટે વડાપ્રધાન મોદીએ કરી હાઈ-લેવલ મીટિંગ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિત ઘણા મંત્રીઓ હાજર

આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહ્યા હતા.

Russia Ukraine War: યુક્રેન સંકટની વચ્ચે સુરક્ષાની તૈયારીઓ માટે વડાપ્રધાન મોદીએ કરી હાઈ-લેવલ મીટિંગ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિત ઘણા મંત્રીઓ હાજર
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 1:47 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ રવિવારે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ (Ukraine Crisis) વચ્ચે ભારતની સુરક્ષા તૈયારીઓ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યારથી રશિયાએ યુક્રેન પર (Russia Ukraine War) આક્રમણ શરૂ કર્યું. ત્યારથી વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો કરી છે.

આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહ્યા હતા. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બોલાવવામાં આવેલી આ બેઠકમાં ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક વાતાવરણ પર ચર્ચા થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સતત 18મા દિવસે યુદ્ધ ચાલુ છે. વૈશ્વિક દબાણ અને તમામ દેશો દ્વારા કડક પ્રતિબંધોની ઘોષણા છતાં રશિયા યુક્રેન પર હુમલાને વધુ તીવ્ર બનાવી રહ્યું છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.

મારીયુપોલમાં 1,500થી વધુ લોકોના મોત

રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર બોમ્બ ધડાકાને વધુ તીવ્ર બનાવ્યું છે અને રાજધાની કિવની બહારના વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે, જેનાથી દેશના દક્ષિણમાં મારીયુપોલ પર તેની પકડ મજબૂત થઈ ગઈ છે. રશિયન આક્રમણથી મારીયુપોલ સૌથી વધુ પ્રભાવિત થયું છે. 4,30,000ની વસ્તી ધરાવતા શહેરમાં ખોરાક, પાણી અને દવા લાવવાના અને ફસાયેલા નાગરિકોને બચાવવાના પ્રયાસો સતત ગોળીબારથી નિષ્ફળ ગયા છે. મેયરના કાર્યાલયના જણાવ્યા અનુસાર હુમલામાં મારીયુપોલમાં 1,500થી વધુ લોકો માર્યા ગયા છે અને મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાના પ્રયાસો પણ ગોળીબારના કારણે અવરોધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : કાન્તિભાઇના અંગદાનથી 3 દર્દીઓને નવજીવન મળ્યું

આ પણ વાંચો: ICICI બેંક, પંજાબ એન્ડ સિંધ બેડ બેંક NARCLનો ખરીદશે હિસ્સો, આ વર્ષે 50,000 કરોડનું NPA થશે ટ્રાન્સફર

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">