સીજેઆઈ બીઆર ગવઈ સાથે ફોન પર પીએમ મોદીએ કરી વાત, કહ્યું- “સમાજમાં આવા નિંદનીય કૃત્યો માટે કોઈ સ્થાન નથી.”
આજે સોમવારે, એક વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર કેસની સુનાવણી દરમિયાન જૂતુ ઉછાળવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓએ વકીલને સમયસર પકડી લીધો અને તેમને બહાર લઈ ગયા. આ ઘટના બાદ, સીજેઆઈએ લોકોને આવી ઘટનાઓને અવગણવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આ ઘટનાને લઈને ચીફ જસ્ટિસ બીઆર ગવઈ સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન, પીએમ મોદીએ સીજેઆઈ પર હુમલાના પ્રયાસની આકરી નિંદા કરી. પીએમ મોદીએ કહ્યું કે આજે સવારે સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેમના પર થયેલા હુમલાથી દરેક ભારતીય રોષે ભરાયો છે. આપણા સમાજમાં આવા નિંદનીય કૃત્યો માટે કોઈ સ્થાન નથી. આ ખૂબ જ નિંદનીય છે.
Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable.
I appreciated the calm displayed by Justice…
— Narendra Modi (@narendramodi) October 6, 2025
પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં વાતચીત શેર કરી. પીએમએ કહ્યું, “હુમલાના પ્રયાસનો સામનો કરવા માટે હું જસ્ટિસ ગવઈની ધીરજની પ્રશંસા કરું છું.” આ ન્યાયના મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને આપણા બંધારણની ભાવનાને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પણ વાંચોઃ ચીફ જસ્ટિસ પર જૂતું ઉછાળનારા વકીલ સામે કાર્યવાહી; બાર કાઉન્સિલે લાઇસન્સ સસ્પેન્ડ કર્યું, રાકેશ કિશોર કોણ છે?