Breaking News : મહિલા અનામતના લક્ષ્યને પૂરું કરવા અંગે PM મોદીનું સૌથી મોટું નિવેદન, જાણો
વારાણસીમાં નારી શક્તિ વંદન સંમેલનમાં PM મોદીએ મહિલા અનામતની અમલવારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે ₹6,350 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને કોંગ્રેસ-SP પર અવરોધો ઊભા કરવાનો આરોપ મૂક્યો.

Narendra Modiએ વારાણસીમાં આયોજિત નારી શક્તિ વંદન સંમેલનમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “મહિલા અનામતનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું આરામ નહીં કરું.” આ કાર્યક્રમ દરમિયાન તેમણે આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સાથે જ તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે સંસદમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવા માટેના પ્રયત્નોમાં આ પક્ષોએ અવરોધ ઊભો કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે મહિલા અનામતનો અમલ કરવો સરકારનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે કાશીની મહિમા વર્ણવતા કહ્યું કે આ ભૂમિ માતા અન્નપૂર્ણા, માતા ગંગા અને અન્ય દૈવી શક્તિઓની ધરતી છે, અને બહેનો-દીકરીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ પવિત્ર બનાવ્યો છે. આ પ્રસંગે બે અમૃત ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપવામાં આવી, જેને કારણે પ્રવાસ વધુ સુલભ બનશે.
તેમણે જણાવ્યું કે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત લાગુ કરવું દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલીક પાર્ટીઓ તુષ્ટિકરણ અને સગાવાદની રાજનીતિમાં વ્યસ્ત હોવાથી મહિલા શક્તિથી ડરે છે અને મહિલાઓને આગળ વધવા દેવા માંગતી નથી. તેમનો દાવો હતો કે જો ગ્રામ સ્તરે કામ કરતી મહિલાઓને સંસદ અને વિધાનસભામાં તક મળશે, તો રાજકારણમાં મોટા ફેરફારો આવશે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે નવી સંસદ રચાયા બાદ મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો કાયદો 2023માં પસાર કરવામાં આવ્યો હતો, જે છેલ્લા 40 વર્ષથી બાકી હતો. પરંતુ તેની અમલવારી દરમિયાન કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને ડીએમકે જેવી પાર્ટીઓએ ફરી અવરોધ ઉભા કર્યા હોવાનો આરોપ તેમણે મૂક્યો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની મહિલાઓ હવે જાગૃત બની છે અને મોટા પ્રમાણમાં મતદાન કરી રહી છે. આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓએ રેકોર્ડ મતદાન કરીને પોતાનો અવાજ મજબૂત બનાવ્યો છે. સરકારનું સૂત્ર “નાગરિક દેવો ભવ” છે, અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સિંચાઈ જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
#WATCH वाराणसी, उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “हमारी सरकार की नीतियों में निरंतर महिला कल्याण को सर्वोच्च प्राथमिकता दी गई है। 2014 में आपने हमें सेवा का अवसर दिया तो देश में 12 करोड़ से ज्यादा शौचालय बने। 30 करोड़ से ज्यादा बहनों के बैंक खाते खुले। 2.5 करोड़ से… pic.twitter.com/3uM9ZGie9g
— ANI_HindiNews (@AHindinews) April 28, 2026
મહિલા કલ્યાણ વિશે વાત કરતાં મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મુકાઈ છે. દેશમાં કરોડો શૌચાલયોના નિર્માણથી લઈને મહિલાઓ માટે બેંક ખાતા ખોલવા, વીજળી અને નળનું પાણી પહોંચાડવા સુધીના પ્રયાસોએ મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર લાવ્યો છે. સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી લાખો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવી છે, જેમાંથી આશરે 3 કરોડ મહિલાઓ “લખપતિ દીદી” બની છે.
કાર્યક્રમ દરમિયાન બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો—વારાણસીથી પુણે અને અયોધ્યાથી મુંબઈ—ને લીલી ઝંડી આપવામાં આવી. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનાવશે. હવે મુંબઈ અને પુણેના લોકો માટે અયોધ્યા ધામ અને કાશી વિશ્વનાથ સુધી પહોંચવા માટે વધુ આધુનિક અને સુવિધાજનક વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે.
સરળતાથી મળશે લોન! 2.5 લાખ કરોડની સ્કીમ માટે નાણાં મંત્રાલયે આપી મંજૂરી, જાણો
