Breaking News : અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
અમદાવાદના મહેમુદપુરામાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 8 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી છે, જ્યારે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગ એટલી વિકરાળ હતી કે ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટના ગતરાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદઃ મહેમુદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં ઘડાકા સાથે લાગી આગ, ભીષણ દુર્ઘટનામાં 8 વ્યકિતના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના | TV9Gujarati#AhmedabadFire #Mahmudpura #FirecrackerFactory #FactoryFire #Ahmedabad #BreakingNews #GujaratNews #TV9Gujarati #GujaratiNews #FireDepartment #RAF… pic.twitter.com/dbnvK0jGec
— Tv9 Gujarati (@tv9gujarati) July 18, 2026
માહિતી મુજબ, આ ફેક્ટરી મેહુલ ડોડિયા નામના વ્યક્તિ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
8 Killed in Massive Fire at Firecracker Factory in Ahmedabad | TV9Gujarati#AhmedabadFire #FirecrackerFactory #Mahmudpura #FireAccident #TalentFireworks #GujaratNews #FactoryFire #TV9Gujarati pic.twitter.com/M0eHfwC2MA
— Tv9 Gujarati (@tv9gujarati) July 18, 2026
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એલ.જી. હોસ્પિટલમાં 5 અને સિવિલ હોસ્પિટલમાં 4 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોની સારવાર પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
Talent Firecracker Factory Fire in Ahmedabad | 8 Killed, Several Injured | TV9Gujarati#AhmedabadFire #Mahmudpura #FirecrackerFactory #FactoryFire #Ahmedabad #BreakingNews #GujaratNews #TV9Gujarati #GujaratiNews #FireDepartment #RAF #RescueOperation #TV9Gujarati pic.twitter.com/WrlRf07Rn0
— Tv9 Gujarati (@tv9gujarati) July 18, 2026
અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ બાદ જ આગ લાગવાના કારણો અને જવાબદારી અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટે પ્રોજેક્ટ મુદ્દે રેરા એક્શનમાં, એક મહિનામાં કાર્યવાહીનું આશ્વાસન
