AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો

એક સોસાયટીમાં ખુલ્લેઆમ દબંગોનો આતંક જોવા મળી રહ્યો છે. ડર એવો છે કે, લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે અને ઘરો પર 'મકાન વેચવાનું છે' તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે.

Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા 'મકાન વેચવાનું છે'ના પોસ્ટરો
| Updated on: Feb 04, 2026 | 2:02 PM
Share

આગ્રાની એક સોસાયટીમાં ખુલ્લેઆમ દબંગોનો આતંક જોવા મળી રહ્યો છે. ડર એવો છે કે, લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે અને ઘરો પર ‘મકાન વેચવાનું છે’ તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. આ મામલો કમલા નગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભગવાન નગરનો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

મુસ્લિમ દબંગોનો ત્રાસ વધ્યો

પોસ્ટર લગાવનારા લોકોનું કહેવું છે કે, તેઓ દબંગોના ડરથી વિસ્તાર છોડી રહ્યા છે. આરોપ છે કે, મુસ્લિમ દબંગો અવારનવાર મારપીટ અને હેરાનગતિ કરે છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પીડિતોનું કહેવું છે કે, જ્યાં સુધી સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ પોસ્ટર હટાવશે નહીં. તેઓ પોતાના ઘર વેચીને જગ્યાએ શિફ્ટ થઈ જશે.

40 જેટલા ઘરો પર પોસ્ટરો લગાવી દેવાયા

તાજનગરી આગ્રાની એક સોસાયટીમાં લોકો દબંગોના આતંકને કારણે પલાયન કરવા મજબૂર બન્યા છે. કમલા નગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભગવાન નગરમાં 40 જેટલા ઘરો પર ‘મકાન વેચવાનું છે’ તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે, તેઓ દબંગોના ડરથી આ વિસ્તાર છોડી રહ્યા છે. જો કે, આટલી મોટી સંખ્યામાં પોસ્ટરો લાગ્યા બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આરોપ છે કે, અહીં કેટલાક મુસ્લિમ દબંગોએ દહેશતનો એવો માહોલ ઊભો કર્યો છે કે, 40 થી વધુ ઘરો પર ‘મકાન વેચાઉ’ના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. દબંગ મુસ્લિમ યુવકો દ્વારા અવારનવાર થતા ઝઘડા અને મારપીટથી સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે. પીડિતોનો આરોપ છે કે, આ યુવકો તેમને સતત ધમકાવે છે, જેનાથી કંટાળીને લોકોએ હવે પોતાના મકાન વેચી દેવાનો નિર્ણય લીધો છે. પીડિતોએ આ દબંગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

લગ્નના દિવસે પણ આતંક

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ પોસ્ટર હટાવશે નહીં. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેમની સોસાયટીમાં શહેઝાદ અને તેનો પુત્ર સની પરિવાર સાથે રહે છે. સની દબંગ સ્વભાવનો છે અને અવારનવાર સોસાયટીના લોકો સાથે મારપીટ કરે છે. 2 ફેબ્રુઆરીને રોજ એક પરિવારમાં લગ્ન હતા, ત્યારે સની તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને મારપીટ કરવા લાગ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર હરિઓમ ગોયલે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

લોકોનો આરોપ છે કે, સનીએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. પ્રીતિ અગ્રવાલનું કહેવું છે કે, સનીએ તેમની સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપવા લાગ્યો.

લોકોનું કહેવું છે કે, અગાઉ પણ અનેકવાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ પોલીસ આરોપી વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. કોર્પોરેટર હરિઓમનું કહેવું છે કે, આરોપી યુવક તેમની સાથે પણ મારપીટ કરી ચૂક્યો છે અને તે સમયે લોકોએ જેમ-તેમ કરીને તેમનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો: સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">