Whatsapp સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, માયવે કે હાઈવેનો લાગ્યો આરોપ
Whatsappએ માયવે કે હાઈવેનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. જે મનમાની, અનુચીત, અસંવૈધાનીક છે. નવી ગોપનીયતા નિતી અનુસાર તેણે વાણિજ્યક વિજ્ઞાપન અને માર્કેટીંગ માટે ફેસબુક અને તેની અન્ય 4 કંપનીઓ સાથે વ્યકિતગત ડેટા શેર કર્યો.
Whatsappએ માયવે કે હાઈવેનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. જે મનમાની, અનુચીત, અસંવૈધાનીક છે. નવી ગોપનીયતા નિતી અનુસાર તેણે વાણિજ્યક વિજ્ઞાપન અને માર્કેટીંગ માટે ફેસબુક અને તેની અન્ય 4 કંપનીઓ સાથે વ્યકિતગત ડેટા શેર કર્યો. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આજે WhatsAppની નવી ગોપનીયતા નીતિને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેટે પોતાની અરજીમાં જણાવ્યું છે કે કંપની ભારતની પ્રસ્તાવિત ગોપનીયતા નીતિના બંધારણ દ્વારા પૂરા પાડવામાં આવેલા નાગરિકોના વિવિધ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી રહી છે.
કેટે આ પ્રાર્થના પણ કરી છે કે, WhatsApp જેવી મોટી કંપનીઓના સંચાલન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા ઘડવી જોઈએ અને એવી નિતી બનાવવી જોઈએ કે જે નાગરિકો અને ઉદ્યોગોની ગોપનીયતાને સુરક્ષિત રાખે. આ પિટિશનમાં ખાસ કરીને યુરોપિયન યુનિયન અને ભારતના દેશોમાં વોટસએપની ગોપનીયતા નીતિમાં સંપૂર્ણ અંતર દર્શાવવામાં આવ્યું છે કે આવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતીય વપરાશકારોના ડેટાનો કેવી રીતે દૂરૂપયોગ કરી શકાય. આ અરજી એડવોકેટ અબીર રોય દ્વારા તૈયાર કરવામાં આવી છે અને જે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિવેક નારાયણ શર્મા દ્વારા ઓન રેકોર્ડ દાખલ કરવામાં આવી છે.
માયવે અથવા હાઈવેનો હવાલો
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભારતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આક્ષેપ કર્યો છે કે વોટ્સએપે ‘માયવે અથવા હાઈવે અભિગમ’ અપનાવ્યો છે, જે મનસ્વી, ગેરવાજબી, ગેરબંધારણીય છે અને ભારત જેવા લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. વોટસએપ કપટપૂર્વક વ્યક્તિગત વપરાશકર્તા ડેટા એકત્રિત કરી રહ્યું છે. ભારતમાં તેની શરૂઆતના સમયે કંપનીએ ડેટા અને મજબૂત ગોપનીયતા સિદ્ધાંતો શેર ન કરવાના વચનોના આધારે વપરાશકર્તાઓને આકર્ષ્યા.
લોકોની ગોપનીયતા સાથે ગડબડ
2014માં ફેસબુક દ્વારા વોટ્સએપના સંપાદન પછી જ્યારે વપરાશકર્તાઓ તેમના ડેટાની ગુપ્તતા પર શંકા કરવાનું શરૂ કર્યુ હતું. કારણ કે તેઓને ડર હતો કે તેમનો અંગત ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવશે તો વોટસએપે વચન આપ્યું હતું કે તેમની ડિલ પછી ગોપનીયતા નીતિમાં કંઈ બદલાશે નહીં. જો કે ઓગસ્ટ 2016માં WhatsApp તેના વચનો પછી પીછેહઠ કરી અને એક નવી ગોપનીયતા નીતિ રજૂ કરી, જેમાં તેણે તેના વપરાશકર્તાઓના અધિકારો પર ભારે સમાધાન કર્યા અને વપરાશકર્તાઓના ગોપનીયતા અધિકારોને સંપૂર્ણપણે નબળા પાડ્યા.
અનૈતિકતાનો લાભ લેવાનો કેસ
નવી ગોપનીયતા નીતિ હેઠળ તેણે વ્યાવસાયિક જાહેરાત અને માર્કેટિંગ માટે ફેસબુક અને તેની તમામ જૂથ કંપનીઓ સાથે વ્યક્તિગત ડેટા શેર કર્યો. ત્યારથી કંપની તેની નીતિઓ બદલી રહી છે, જેથી વિશાળ માહિતી એકત્રિત કરી શકાય અને પ્રક્રિયા કરી શકાય અને ડેટા ત્રીજા પક્ષને આપી શકાય. કેટ કોઈપણ કોર્પોરેટ અથવા મોટી વિદેશી કંપનીને ભારતની જનતાના ખભા પર બંદૂકો મૂકવાની મંજૂરી આપશે નહીં. જેથી અનૈતિક રીતે લાભ થાય તે માટે તેની નબળી નીતિઓ અને ભયાનક ડિઝાઈનનો અમલ કરવાની અનુમતી આપશે નહીં.
આ પણ વાંચો: BIGG BOSS 14ના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, ટેલેન્ટ મેનેજરનું થયું નિધન