AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !

પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે. TV9 Gujarati   ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દિલ્હી-શ્રીનગર અને જમ્મુ-શ્રીનગર વચ્ચે કોઈ પણ આવાગમન માટે અર્ધ સૈનિક દળોના જવાનો હવાઈ […]

મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !
| Updated on: Feb 21, 2019 | 9:25 AM
Share

પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે.

TV9 Gujarati

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દિલ્હી-શ્રીનગર અને જમ્મુ-શ્રીનગર વચ્ચે કોઈ પણ આવાગમન માટે અર્ધ સૈનિક દળોના જવાનો હવાઈ મુસાફરી કરશે. કેન્દ્ર સરકારનો આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.

આ આદેશનો ઉદ્દેશ પુલવામા આતંકી હુમલા જેવા બનાવોથી અર્ધસૈનિક દળોની સુરક્ષા કરવાનો છે. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલામાં આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલાને જમ્મુ-શ્રીનગર હાઈવે પર કાર બૉંબ બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો.

આ ઘટનાથી બોધપાઠ લેતા મોદી સરકારે અર્ધ સૈનિક દળો માટે હવે હવાઈ મુસાફરીને લીલી ઝંડી આપી દીધી છે. આનાથી 7,80,000 અર્ધસૈનિક જવાનોને ફાયદો થશે કે જેમાં કૉન્સ્ટેબલ, હેડ કૉન્સ્ટેબલ અને એએસઆઈથી લઈ તે તમામ કર્મચારીઓ સામેલ છે કે જેમને અત્યાર સુધી હવાઈ યાત્રા કરવાનો અધિકાર નહોતો. આદેશ મુજબ જવાનો ડ્યૂટી દરમિયાન યાત્રા કરવા ઉપરાંત રજા પર શ્રીનગરથી પરત જવા કે પાછા ડ્યૂટી પર આવવા માટે પણ હવાઈ યાત્રા કરી શકશે.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયુ હતું કે અર્ધસૈનિક દળોએ ઍર ટ્રાંઝિટની માંગણી કરી હતી, પરંતુ તે મંજૂર નહોતી કરાઈ. જોકે ગૃહ મંત્રાલયે આ અહેવાલોને ફગાવતા કહ્યુ હતું કે CRRPF તરફથી આવી કોઈ માંગણી નહોતી કરાઈ.

[yop_poll id=1660]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">