મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !

પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે. TV9 Gujarati   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી […]

મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 9:25 AM

પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દિલ્હી-શ્રીનગર અને જમ્મુ-શ્રીનગર વચ્ચે કોઈ પણ આવાગમન માટે અર્ધ સૈનિક દળોના જવાનો હવાઈ મુસાફરી કરશે. કેન્દ્ર સરકારનો આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.

આ આદેશનો ઉદ્દેશ પુલવામા આતંકી હુમલા જેવા બનાવોથી અર્ધસૈનિક દળોની સુરક્ષા કરવાનો છે. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલામાં આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલાને જમ્મુ-શ્રીનગર હાઈવે પર કાર બૉંબ બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો.

આ ઘટનાથી બોધપાઠ લેતા મોદી સરકારે અર્ધ સૈનિક દળો માટે હવે હવાઈ મુસાફરીને લીલી ઝંડી આપી દીધી છે. આનાથી 7,80,000 અર્ધસૈનિક જવાનોને ફાયદો થશે કે જેમાં કૉન્સ્ટેબલ, હેડ કૉન્સ્ટેબલ અને એએસઆઈથી લઈ તે તમામ કર્મચારીઓ સામેલ છે કે જેમને અત્યાર સુધી હવાઈ યાત્રા કરવાનો અધિકાર નહોતો. આદેશ મુજબ જવાનો ડ્યૂટી દરમિયાન યાત્રા કરવા ઉપરાંત રજા પર શ્રીનગરથી પરત જવા કે પાછા ડ્યૂટી પર આવવા માટે પણ હવાઈ યાત્રા કરી શકશે.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયુ હતું કે અર્ધસૈનિક દળોએ ઍર ટ્રાંઝિટની માંગણી કરી હતી, પરંતુ તે મંજૂર નહોતી કરાઈ. જોકે ગૃહ મંત્રાલયે આ અહેવાલોને ફગાવતા કહ્યુ હતું કે CRRPF તરફથી આવી કોઈ માંગણી નહોતી કરાઈ.

[yop_poll id=1660]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">