AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેગાસસ વિવાદ: વિરોધ પક્ષોના નેતાઓએ તપાસ માટે માત્ર બે ફોન જમા કરાવ્યા, સુપ્રીમ કોર્ટે બીજી નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની પેનલે અગાઉ 2 જાન્યુઆરી, 2022ના રોજ પણ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ માત્ર બે લોકોએ જ તેમના ફોન સબમિટ કર્યા છે.

પેગાસસ વિવાદ: વિરોધ પક્ષોના નેતાઓએ તપાસ માટે માત્ર બે ફોન જમા કરાવ્યા, સુપ્રીમ કોર્ટે બીજી નોટિસ ફટકારી
પેગાસસ વિવાદ: વિરોધ પક્ષોના નેતાઓએ તપાસ માટે માત્ર બે ફોન જમા કરાવ્યા (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:55 AM
Share

Pegasus controversy : પેગાસસ જાસૂસી કૌભાંડ(Spyware Pegasus)ની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની ટેકનિકલ કમિટીને માત્ર 2 લોકોએ તેમના ફોન સબમિટ કર્યા છે. હવે કમિટીએ ફરી એકવાર જાહેર નોટિસ બહાર પાડી છે. ગુરુવારે જાહેર કરાયેલી આ નોટિસમાં સમિતિએ આ મામલાને લગતા લોકોને 8 ફેબ્રુઆરી 2022 સુધીમાં તેમના ફોન જમા કરાવવા માટે કહ્યું છે.

ફ્રેન્ચ સ્થિત પત્રકારોના સંઘે ગયા વર્ષે 50,000 નંબરના લીક થયેલા ડેટાબેઝને એક્સેસ કર્યો હતો. જેઓને NSO ગ્રૂપ(NSO Group) ના ગ્રાહકો દ્વારા દેખરેખ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની પેનલે અગાઉ 2 જાન્યુઆરી 2022ના રોજ પણ નોટિસ જાહેર કરી હતી.

હેલી નોટિસ બાદ માત્ર 2 લોકોએ જ ફોન જમા કરાવ્યા

નોટિસમાં કમિટીએ જણાવ્યું છે કે, પહેલી નોટિસ બાદ માત્ર 2 લોકોએ જ ફોન જમા કરાવ્યા છે. 19 જુલાઈ, 2021 ના ​​રોજ સંસદમાં બોલતા, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ભારત સરકારે પત્રકારો, કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને મંત્રીઓના ફોન હેક કરવા માટે પેગાસસનો ઉપયોગ કર્યો હતો. આ અહેવાલ ભારતીય લોકશાહી અને તેની સુસ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ ન હતું. કોંગ્રેસ પાર્ટીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારે “લોકશાહીનું અપહરણ” કર્યું છે અને સુપ્રીમ કોર્ટ સાથે વિશ્વાસઘાત કર્યો છે.

30 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી

એમએલ શર્મા નામના એડવોકેટે 30 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને આ અરજીનો આધાર બનાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદી સરકારે 2017માં ડિફેન્સ ડીલ હેઠળ ઈઝરાયલના સ્પાયવેર પેગાસસને ખરીદ્યું હતું. અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ડિફેન્સ ડીલની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. શર્માએ એમ પણ કહ્યું હતું કે, આ ડીલને સંસદે મંજૂરી આપી નથી, તેથી પૈસા વસૂલ્યા પછી તેને રદ કરી દેવો જોઈએ.

ફોજદારી કેસ નોંધવા નિર્દેશ આપવાની માગ

સુપ્રીમ કોર્ટને પણ આ મામલે ફોજદારી કેસ નોંધવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે 27 ઓક્ટોબર 2021ના રોજ નિષ્ણાત સમિતિની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ આરવી રવિન્દ્રનને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સમિતિની રચના કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેક વ્યક્તિની ગોપનીયતા સુરક્ષિત હોવી જોઈએ.

પેગાસસ સ્પાયવેર કેવી રીતે કામ કરે છે

પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ઉપકરણોને લક્ષ્ય બનાવે છે. Pegasus કોઈપણ ફોન અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર દૂરસ્થ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ફક્ત એક મિસ્ડ કોલ કરીને તમારા ફોનમાં પેગાસસ ઇન્સ્ટોલ પણ કરી શકો છો.

આ પણ વાંચો : દેશમાં સોના-ચાંદીમાં રોકાણનો ઘટી રહ્યો છે ક્રેઝ, જાણો દેશમાં કમાણી માટે ક્યુ ક્ષેત્ર પસંદગીનો વિષય બની રહ્યું છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">