AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અધીર રંજન ચૌધરીએ લોકસભાના અધ્યક્ષને લખ્યો પત્ર, પેગાસસ મુદ્દે આઈટી મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની કરી માગણી

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરી છે કે તે આ બાબતની સ્વતઃ સંજ્ઞાન લે અને ઇરાદાપૂર્વક તેને છૂપાવવાનો પ્રયાસ કરવા બદલ સરકાર સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરે.

અધીર રંજન ચૌધરીએ લોકસભાના અધ્યક્ષને લખ્યો પત્ર, પેગાસસ મુદ્દે આઈટી મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની કરી માગણી
Adhir Ranjan Chowdhury (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 7:55 PM
Share

લોકસભા (Lok Sabha) માં કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury) એ પેગાસસ મુદ્દે (Pegasus Issue) ગૃહને જાણીજોઈને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિક મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) ને પત્ર લખીને વિનંતી કરી છે. અગાઉ શનિવારે, વિરોધ પક્ષોએ સંકેત આપ્યો હતો કે તેઓ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન આ મુદ્દો જોરશોરથી ઉઠાવશે. એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, પેગાસસ સોફ્ટવેર સંબંધિત મામલા પર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આરવી રવિન્દ્રનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સૂત્રએ કહ્યું કે સમિતિના અહેવાલની રાહ જોવાઈ રહી છે.

કોંગ્રેસે સંસદ અને સર્વોચ્ચ અદાલત સાથે વિશ્વાસઘાત કરવાનો, લોકશાહીને હાઈજેક કરવાનો અને રાજદ્રોહનો આરોપ લગાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વિટ કર્યું હતું કે મોદી સરકારે આપણી લોકશાહીની પ્રાથમિક સંસ્થાઓ, રાજકારણીઓ અને જનતાની જાસૂસી કરવા માટે પેગાસસને ખરીદ્યું છે.

ફોન ટેપ કરીને શાસક પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયતંત્ર તમામને નિશાન બનાવ્યા છે. આ દેશદ્રોહ છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે રાજદ્રોહ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે તે બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવવા માંગે છે અને પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ગૃહમાં જવાબ આપવા માગ કરી છે.

‘સરકારે પેગાસસ પર IT સમિતિને જવાબ ન આપવાનું પસંદ કર્યું’

કોંગ્રેસે (Congress ) સુપ્રીમ કોર્ટ (Supreme Court) ને પણ વિનંતી કરી છે કે તે આ બાબતની સ્વતઃ સંજ્ઞાન લે અને ઇરાદાપૂર્વક તેને છૂપાવવાનો પ્રયાસ કરવા બદલ સરકાર સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરે.

આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સમિતિના અધ્યક્ષ શશિ થરૂરે (Shashi Tharoor) કહ્યું કે સરકારે પેગાસસ પર આઇટી સમિતિને જવાબ ન આપવાનું પસંદ કર્યું અને જ્યારે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ત્યારે ભાજપના કેટલાક સભ્યો દ્વારા લેવામાં આવેલ વલણ સમિતિએ કોરમ પૂરો ન થવા દેવાનો અર્થ એવો પણ થાય છે કે સમિતિએ સત્ય બહાર લાવવામાં કોઈ પ્રગતિ કરી નથી.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલાની તપાસ કરી રહી છે અને હું પણ એ જ ઈચ્છું છું. જો અમારી સરકારે પેગાસસનો એ રીતે ઉપયોગ કર્યો છે જે રીતે તેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે, તો તે આપણી લોકશાહી માટે મોટો ખતરો છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ એક ટ્વિટમાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે એફિડેવિટમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે તેણે આ સાયબર હથિયાર શા માટે ખરીદ્યું, તેના ઉપયોગની મંજૂરી કોણે આપી, ટાર્ગેટ કેવી રીતે પસંદ કરવામાં આવ્યા અને કોના દ્વારા રિપોર્ટ મળ્યો? તેમણે કહ્યું કે આવા નાજુક મુદ્દા પર મૌનનો અર્થ તેની ગુનાહિત પ્રવૃત્તિની સ્વીકૃતિ છે.

આ પણ વાંચો: Goa Election: પી ચિદમ્બરમે TMC પર નિશાન સાધ્યું, કહ્યું- દીદીએ એક તરફ ગઠબંધનની વાત કરી, બીજી તરફ તોડી રહી છે કોંગ્રેસ

આ પણ વાંચો: જયપુરની ટર્પેન્ટાઈન ઓઈલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">