પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી
ઈરાન અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી બનીને પાકિસ્તાને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના પર કેન્દ્રીત કર્યુ છે. ભારતે અત્યાર સુધી પાકિસ્તાનને આતંકીઓનો દેશ તરીકે વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડ્યુ હતુ. તે આતંકીઓના દેશ તરીકેની પોતાની છબી ભૂસીને હવે શાંતિદૂતની ભૂમિકામાં આવી ગયુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે પાકિસ્તાન ભારત સામે 'વોટર વોર' નું નેરેટિવ ઘડી રહ્યુ છે. સિંધુ નદીના પાણી મુદ્દે ભારતને દોષી બનાવી વિશ્વના દેશોની સહાનુભૂતિ મેળવવાની તૈયારી કરી રહ્યુ છે.

વર્તમાન સમયમાં પાકિસ્તાન વિશ્વ મંચ પર પોતાની છબી સુધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. આતંકવાદના પ્રાયોજક તરીકેની પોતાની જૂની છબીને ભૂંસીને તે હવે મધ્યસ્થી અને શાંતિ દૂતના રૂપમાં દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં તેણે ભજવેલી ભૂમિકા બાદ તેને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી છે. યુરોપિયન યુનિયન બહેરીન, કેનેડા, જાપાન, ચીન સહિતના દેશોએ ટ્રમ્પ સાથે મળી પાકિસ્તાનની પ્રશંસા કરી. ત્યાં સુધી કે રશિયાએ પણ પાકિસ્તાનને ભજવેલી મધ્યસ્થીની ભૂમિકા બદલ તેની પ્રશંસા કરી. જોકે, આ પ્રશંસાની આડમાં પાકિસ્તાન એક ખતરનાક રમત રમી રહ્યું છે. પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શહેબાઝ શરીફની જોડી હવે ભારત સામે ‘વોટર વોર’ એટલે કે જળ યુદ્ધનો નેરેટિવ સેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાની સેના માટે મોટું બજેટ મેળવવાનો અને...
