AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર

દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તે માટે કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશન બિલ આજે લોકસભામાં રજૂ કર્યું છે. કાયદા પ્રધાન અર્જૂન મેઘવાલે, લોકસભામાં વન નેશન વન ઈલેક્શન માટે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકાર આ બિલ અંગે સર્વપક્ષીય સાંસદોની બનેલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી) રચવા તૈયાર છે. જો કે વિપક્ષે, વન નેશન વન ઈલેકશન બિલને બંધારણ વિરુદ્ધનુ ગણાવીને વિરોધ કર્યો છે.

One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 1:27 PM
Share

સંસદના શિયાળુ સત્રના આજે 17માં દિવસે સરકારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગત 12 ડિસેમ્બરના રોજ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વન નેશન વન ઈલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું. કોંગ્રેસ, એસપી, ટીએમસી સહિત અનેક વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો છે. સરકારનું કહેવું છે કે અમે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ. બિલ પર JPC બનાવવા માટે પણ સરકાર તૈયાર છે.

આ બિલને એનડીએના સહયોગી દળોનું સમર્થન મળ્યું છે. સાથી પક્ષો સરકાર અને બિલની સાથે ઉભેલા જોવા મળે છે. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ તેને બિનજરૂરી અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવનારું બિલ ગણાવી રહ્યું છે.

શાસક પક્ષ અને વિપક્ષ શું દલીલો આપી રહ્યા છે?

વન નેશન વન ઈલેક્શનની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો કરવામાં આવી રહી છે. સમર્થકો એવી દલીલ કરી રહ્યા છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે વિરોધીઓ કહી રહ્યા છે કે તે બંધારણની વિરુદ્ધ છે. સમર્થકો કહી રહ્યા છે કે મતદાન વધશે, જ્યારે વિપક્ષો કહી રહ્યા છે કે જવાબદારી ઓછી થશે. સમર્થકોની દલીલ છે કે આચારસંહિતા એકવાર લાગુ થશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે 5 વર્ષમાં એક વખત ચૂંટણી બાદ સરકાર નિરંકુશ બની જશે. જ્યારે સમર્થક પક્ષો કહે છે કે આનાથી વિકાસ કાર્ય પર કોઈ અસર નહીં થાય, જ્યારે વિરોધીઓ માને છે કે આ ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રાદેશિક મુદ્દાઓને અવગણશે.

રામનાથ કોવિંદ સમિતિની ભલામણ શું છે ?

જાણો શું છે આ બિલ પર રામનાથ કોવિંદ કમિટીની ભલામણ. તમામ એસેમ્બલીનો કાર્યકાળ 2029 સુધી લંબાવવો જોઈએ. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં ફરીથી ચૂંટણી થવી જોઈએ. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજો. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં થવી જોઈએ. ચૂંટણી પંચે ચૂંટણી માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">