AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓએ વાઈન શોપ પર કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત અને 3 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે ફરી આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બારામુલા (Baramulla) જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આ હુમલો કર્યો હતો.

Jammu Kashmir: બારામુલ્લામાં આતંકવાદીઓએ વાઈન શોપ પર કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત અને 3 ઘાયલ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 11:26 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે ફરી આતંકી હુમલાની (Terrorist Attack) ઘટના સામે આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, આતંકવાદીઓએ બારામુલા (Baramulla) જિલ્લામાં સ્થિત એક દારૂની દુકાન પર આ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી એકનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે, જ્યારે આતંકવાદીઓએ દુકાન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભીડ હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સાથે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા મંગળવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે સહયોગીઓની ધરપકડ કરી હતી. પોલીસ પ્રવક્તાએ માહિતી આપી છે કે, પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બડગામમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે સહયોગીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, વિસ્ફોટકો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

આજે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે

તેમના કબજામાંથી લશ્કર-એ-તૈયબાની ગુનાહિત સામગ્રી, એક હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલના બે મેગેઝીન અને AK-47 રાઈફલના 15 રાઉન્ડ, વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો મળી આવ્યો છે. આ પહેલા સોમવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી એક આતંકવાદી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને સાત આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની ધરપકડ કરી હતી.

ગઈકાલે પણ આતંકવાદીઓ ઝડપાયા હતા

પોલીસે કહ્યું હતું કે, બાંદીપોરામાં તાજેતરના એન્કાઉન્ટરની તપાસ કરતી વખતે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદી સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આતંકીઓના ચાર સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

અમરનાથ યાત્રાને લઈને ગૃહમંત્રીએ યોજી બેઠક

બીજી તરફ, ગૃહ પ્રધાન અમિત શાહે અમરનાથ યાત્રાને લઈને જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સુરક્ષા સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સાથે મંગળવારે સતત ત્રણ બેઠકો યોજી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠકોમાં નાગરિકોની હત્યાની તાજેતરની ઘટનાઓ અને આગામી અમરનાથ યાત્રા પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન હવે અમરનાથ યાત્રા માટે દરેક યાત્રીઓને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન કાર્ડ (RFID) આપશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">