AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ કાશ્મીરમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી નહીં મળે, જાણો ચૂંટણી પહેલા ગુલામ નબી આઝાદે શું કહ્યું?

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે દાવો કર્યો હતો કે, આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં પૂર્ણ બહુમતવાળી સરકાર નહીં બને. તેમણે તમામ પક્ષોના દાવાઓને પોકળ ગણાવ્યા. આ સાથે તેમણે આ વખતની વિધાનસભા ચૂંટણી અંગે પણ ખુલીને વાત કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી નહીં મળે, જાણો ચૂંટણી પહેલા ગુલામ નબી આઝાદે શું કહ્યું?
Ghulam Nabi Azad, Chairman, Democratic Progressive Party
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2024 | 2:03 PM
Share

બંધારણની કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે આગામી 18મી સપ્ટેમ્બરના રોજ મતદાન હાથ ધરાશે. જેના માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ભાજપે જમ્મુ કાશ્મીરીમાં મુસ્લિમ ઉમેદવારો પર દાવ ખેલીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસે, નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે તમામ પક્ષોના સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાના વચનોને પોકળ ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે. ગઠબંધનવાળી સરકાર બનશે. રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં નહી આવે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો જે દાવા કરી રહ્યા છે તે સાવ પોકળ છે, જોકે મારી તબીયત નાદુરસ્ત છે, અમે આ ચૂંટણીઓમાં જે કરવા માગતા હતા તે કરી શક્યા નથી. પરંતુ અહીં 20 થી 22 યુવાનો આવ્યા છે. ચૂંટણી મેદાનમાં હું તેમના માટે ચૂંટણી રેલીના પ્રવાસે આવ્યો છું. આશા છે કે જનતા અમારા ઉમેદવારોને જીતનું સમર્થન આપશે.

ચૂંટણી ત્રણ વખત યોજાઈ

તેમણે વધુમાં કહ્યું કે અમને એ વાતથી દુઃખ છે કે આ 10 વર્ષમાં ત્રણ વખત ચૂંટણીઓ થઈ અને જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો. અમે તેનાથી ખૂબ જ દુખી છીએ. મેં રાજ્યસભામાં મારા ભાષણમાં પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળવો જોઈએ, આજે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન તેમની ચૂંટણી સભાઓમાં તે વિશે બોલી રહ્યા છે.

વિકાસ અને રોજગાર

આ સિવાય ગુલાબ નબી આઝાદે, એન્જિનિયર રશીદના જામીન અંગે કહ્યું કે તે સારી વાત છે કે તેને જામીન મળ્યા અને જો કોઈ નિર્દોષ હોય તો તેને પણ સરકારે જામીન આપવા જોઈએ. સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કાબૂમાં લેવા માટે ઘણું કામ કર્યું છે, પરંતુ કેટલાક સમયથી આતંકવાદ ચોક્કસપણે વધ્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અમારો ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો છે અને અમારો એજન્ડા વિકાસ અને યુવાનોને રોજગાર આપવાનો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">