Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા

રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે રાજકીય પક્ષોના છ સભ્યો, જનતા દળ (યુનાઇટેડ), કુકી પીપલ્સ એલાયન્સના બે સભ્યો અને એક અપક્ષે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનના પત્રો પણ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે.

Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા
N Biren Singh takes oath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 5:20 PM

એન બિરેન સિંહ (N Biren Singh) સોમવારે બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી (Manipur CM) બન્યા. તેમણે ઈમ્ફાલમાં સીએમ તરીકે શપથ લીધા. જણાવી દઈએ કે મણિપુર બીજેપી (Manipur BJP) વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ, એન બિરેન સિંહને સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. સિંહને સીએમ તરીકે પસંદ કર્યા પછી, કેન્દ્રીય નિરીક્ષક નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ એક ખૂબ જ સારો નિર્ણય છે, તે સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હશે જે વધુ મણિપુરના વિકાસ માટે સતત કાર્ય કરશે કારણ કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એન બિરેન સિંહને 32 ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

એન બિરેન સિંહ, બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા

મણિપુરના રાજ્યપાલ એલ ગણેશને ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળના નેતા અને કાર્યપાલક મુખ્ય પ્રધાન એન બિરેન સિંહને આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ, કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને કિરન રિજિજુએ રાજ્યપાલને પક્ષ વતી એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એન બીરેન સિંહને 32 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે રાજકીય પક્ષોના છ સભ્યો, જનતા દળ (યુનાઇટેડ), કુકી પીપલ્સ એલાયન્સના બે સભ્યો અને એક અપક્ષે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનના પત્રો પણ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે. આ સાથે, ભાજપની આગેવાની હેઠળની સરકાર પાસે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં 41નું સંખ્યાબળ અને બે તૃતીયાંશ બહુમતી હશે. દિવસની શરૂઆતમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે એન બિરેન સિંહ બીજી મુદત માટે મણિપુરના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે.

ભાજપ સત્તામાં પરત ફર્યુ

60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપે 32 બેઠકો જીતીને સત્તા પુનઃ પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર જ જીતી છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી ચૂંટણી 2017માં, સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજેપી બીજી પાર્ટી હતી, તેમ છતાં તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ભાજપે સરકાર બનાવી હતી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચોઃ

રાજ્યસભામાં સૌથી નાની વયના સાંસદ બનશે રાધવ ચઢ્ઢા, જાણો તેમના પહેલા કોણ હતા નાની વયના સાંસદ ?

આ પણ વાંચોઃ

જમ્મુ-કાશ્મીરઃ 23 માર્ચથી ખુલશે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો આ બાગ, જુઓ તસવીરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">