AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા

રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે રાજકીય પક્ષોના છ સભ્યો, જનતા દળ (યુનાઇટેડ), કુકી પીપલ્સ એલાયન્સના બે સભ્યો અને એક અપક્ષે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનના પત્રો પણ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે.

Manipur : એન બિરેન સિંહ બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી બન્યા, ઈમ્ફાલમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા
N Biren Singh takes oath
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 5:20 PM
Share

એન બિરેન સિંહ (N Biren Singh) સોમવારે બીજી વખત મણિપુરના મુખ્યમંત્રી (Manipur CM) બન્યા. તેમણે ઈમ્ફાલમાં સીએમ તરીકે શપથ લીધા. જણાવી દઈએ કે મણિપુર બીજેપી (Manipur BJP) વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ, એન બિરેન સિંહને સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. સિંહને સીએમ તરીકે પસંદ કર્યા પછી, કેન્દ્રીય નિરીક્ષક નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ એક ખૂબ જ સારો નિર્ણય છે, તે સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હશે જે વધુ મણિપુરના વિકાસ માટે સતત કાર્ય કરશે કારણ કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એન બિરેન સિંહને 32 ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

એન બિરેન સિંહ, બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા

મણિપુરના રાજ્યપાલ એલ ગણેશને ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળના નેતા અને કાર્યપાલક મુખ્ય પ્રધાન એન બિરેન સિંહને આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ, કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને કિરન રિજિજુએ રાજ્યપાલને પક્ષ વતી એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એન બીરેન સિંહને 32 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે રાજકીય પક્ષોના છ સભ્યો, જનતા દળ (યુનાઇટેડ), કુકી પીપલ્સ એલાયન્સના બે સભ્યો અને એક અપક્ષે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનના પત્રો પણ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે. આ સાથે, ભાજપની આગેવાની હેઠળની સરકાર પાસે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં 41નું સંખ્યાબળ અને બે તૃતીયાંશ બહુમતી હશે. દિવસની શરૂઆતમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે એન બિરેન સિંહ બીજી મુદત માટે મણિપુરના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે.

ભાજપ સત્તામાં પરત ફર્યુ

60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપે 32 બેઠકો જીતીને સત્તા પુનઃ પ્રાપ્ત કરી છે. કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર જ જીતી છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી ચૂંટણી 2017માં, સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજેપી બીજી પાર્ટી હતી, તેમ છતાં તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ભાજપે સરકાર બનાવી હતી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચોઃ

રાજ્યસભામાં સૌથી નાની વયના સાંસદ બનશે રાધવ ચઢ્ઢા, જાણો તેમના પહેલા કોણ હતા નાની વયના સાંસદ ?

આ પણ વાંચોઃ

જમ્મુ-કાશ્મીરઃ 23 માર્ચથી ખુલશે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો આ બાગ, જુઓ તસવીરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">