AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur : એન બિરેન સિંહ બીજીવાર બનશે મણિપુરના મુખ્યપ્રધાન

મણિપુરમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક અને રિજિજુને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એન બિરેન સિંહને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરાયા હતા.

Manipur : એન બિરેન સિંહ બીજીવાર બનશે મણિપુરના મુખ્યપ્રધાન
N. Biren Singh (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 5:26 PM
Share

ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આજે ઇમ્ફાલમાં મળેલી મણિપુર  ભાજપ વિધાનસભા પક્ષની (Manipur BJP legislature party) બેઠકમાં, એન બિરેન સિંહની ( N Biren Singh) વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. મણિપુરના (Manipur) કાર્યકારી મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ, મણિપુર રાજ્યમાં બીજીવાર મુખ્યપ્રધાન બનશે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ખૂબ જ સારો નિર્ણય છે, તે સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હોય. જે રાજ્યનો વધુ વિકાસ કરશે કારણ કે PM મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યો પર વિશેષ ધ્યાન આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ મણિપુરના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથેની બેઠકમાં ભાગ લેવા માટે રવિવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા. મણિપુરમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક અને રિજિજુને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, બીજેપીના રાજ્યસભા સભ્ય લૈશ્મ્બા સનાજોબા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પણ ઈમ્ફાલ પહોંચ્યા હતા.

ભાજપે 32 બેઠકો જીતીને ફરી સત્તા મેળવી

મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે 32 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી. કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર જ અટકી ગઈ છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ફાળે ગઈ છે. તમને જણાવી દઈએ કે 60 સભ્યસંખ્યા ધરાવતી મણિપુર વિધાનસભામાં છેલ્લે 2017માં યોજાયેલી ચૂંટણીમાં, સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજેપી બીજી મોટી પાર્ટી હતી, તેમ છતાં તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ભાજપે સરકાર બનાવી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસની 28ની સરખામણીમાં માત્ર 21 બેઠકો હોવા છતાં ભાજપ 2017માં બે સ્થાનિક પક્ષો – NPP અને NPF – સાથે સરકાર બનાવવામાં સફળ રહી હતી.

ચૂંટણી જીત્યા બાદ એન બિરેન સિંહ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. ચૂંટણીમાં બિરેન સિંહે કોંગ્રેસના પી સરચંદ્રને હરાવીને હિંગંગ બેઠક જીતી હતી. એન બિરેન સિંહે કોંગ્રેસના હરીફ પી સરચંદ્રને 18,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ

પ્રમોદ સાવંત સતત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી બનશે, 24 માર્ચે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ: અહેવાલ

આ પણ વાંચોઃ

J&Kમાં જે થયુ હતુ તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર, પંડિત, મુસ્લિમ, ડોગરા, હિન્દુ બધા પ્રભાવિત થયા હતા : ગુલામનબી આઝાદ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">