AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ ફરીથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) પર ટ્વીટ કરવાના કેસમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ, આ બાદ તેમની ફરી ધરપકડ થઇ છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ ફરીથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ
MLA Jignesh Mewani (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 4:56 PM
Share

ગુવાહાટી: વડગામના ધારાસભ્ય (MLA) જીગ્નેશ મેવાણીને (Jignesh Mevani) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરવાના કેસમાં (Aasam Court) આસામની કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ આજે એક નવા કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ગઈકાલે ટ્વિટ કેસમાં જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આસામના બરપેટાની પોલીસ, મેવાણીની ધરપકડ કરવા આવી હતી, તેણે હજુ સુધી કહ્યું નથી કે કયા કેસમાં ગુજરાતના ધારાસભ્યની ફરી ધરપકડ કરવામાં આવી છે.

આસામના કોકરાઝારના સ્થાનિક બીજેપી નેતાએ તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ મિસ્ટર મેવાણીની ગુરુવારે ગુજરાતના પાલનપુરથી આસામ પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મેવાણી – પીએમ મોદીના કટ્ટર ટીકાકાર – તેમની ધરપકડને “પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય) દ્વારા બદલાની રાજનીતિ” ગણાવી છે.

મેવાણીએ કહ્યું કે “આ બીજેપી અને આરએસએસનું કાવતરું છે. તેઓએ મારી છબી ખરાબ કરવા માટે આ કર્યું. તેઓ આ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. તેઓએ રોહિત વેમુલા સાથે કર્યું, તેઓએ ચંદ્રશેખર આઝાદ સાથે કર્યું, હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે,” આજે પત્રકારો સાથેની વાતચીતમાં મેવાણીએ આમ જણાવ્યું હતું.

41 વર્ષીય મેવાણી પર ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ સંબંધિત ગુના, ધાર્મિક લાગણીઓ ભડકાવવા અને ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો છે જે શાંતિનો ભંગ કરી શકે છે.

તેમની ફરિયાદમાં, બીજેપી નેતા અરૂપ કુમાર ડેએ આરોપ લગાવ્યો છે કે મેવાણીના ટ્વીટ “કોઈ ચોક્કસ સમુદાયના લોકોના એક વર્ગને ઉશ્કેરવાની સંભાવના છે”.

એક પ્રાઇવેટ મીડીયા ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ડેએ કહ્યું કે મેવાણી “પોતાના પદ દ્વારા લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હંમેશા વડાપ્રધાન મોદી વિશે નકારાત્મક બોલે છે”.

“અમે નસીબદાર છીએ કે મોદીજી અમારા વડાપ્રધાન તરીકે છે અને મેવાણી તેમનું નામ તાજેતરની હિંસાની ઘટનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું તેના માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે? તેઓ કહે છે કે ગોડસે વડાપ્રધાન મોદીના ભગવાન છે, તેઓ શું સાબિતી આપે છે?”

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ધરપકડ – ફરિયાદના 24 કલાકની અંદર – ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જે રાજ્યમાં ભાજપ 1995થી શાસન કરી રહ્યું છે.

આ પણ વાંચો :ગૌતમ અદાણી વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ બન્યા

આ પણ વાંચો :કેન્દ્ર-રાજ્યના રેલ્વે સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રીનું સૂચન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">