ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં કહ્યું- કોવિડને કારણે વસ્તી ગણતરી આગામી આદેશ સુધી સ્થગિત, NRC વિશે આપવામાં આવી મહત્વપૂર્ણ માહિતી
ગૃહ રાજ્ય મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આઝાદી બાદ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સિવાય જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી નથી.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (MoS Home Nityanand Rai) મંગળવારે સંસદ (Parliament) માં જણાવ્યું હતું કે કોરોના (Corona) ના કારણે, વસ્તી ગણતરી (Population Census) 2021નું આયોજન અને સંબંધિત ક્ષેત્રની પ્રવૃત્તિઓ આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. એક પ્રશ્નના લેખિત જવાબમાં નિત્યાનંદ રાયે લોકસભામાં કહ્યું કે અત્યાર સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી (National Register of Indian Citizens – NRIC) તૈયાર કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ગૃહ રાજ્ય મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આઝાદી પછી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સિવાય જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી નથી. તેમણે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 28 માર્ચ, 2019 ના રોજ ભારતના ગેઝેટમાં 2021ની વસ્તી ગણતરી કરવાની સરકારની યોજનાને સૂચિત કરવામાં આવી હતી.
Due to outbreak of Covid19, the conduct of Census 2021 & related field activities have been postponed until further orders. Till now, the Govt has not taken any decision to prepare National Register of Indian citizens at the National level: MoS Home Nityanand Rai in Parliament
— ANI (@ANI) February 8, 2022
વસ્તી ગણતરી 2021ની કવાયત માટે રૂ. 8,754.23 કરોડ મંજૂર – ગૃહ રાજ્ય મંત્રી
ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘બંધારણ (અનુસૂચિત જાતિ) ઓર્ડર, 1950 અને બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર, 1950 અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે વિશેષરૂપે સૂચિત જાતિઓ અને જનજાતિઓની વસ્તી ગણતરીમાં સમય સમય પર ગણાય છે. ભારત સરકારે આઝાદી પછીની વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી નથી.
5 વર્ષમાં 4844 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી – ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ, છેલ્લા પાંચ વર્ષમાં 4,844 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. રાયે કહ્યું કે 2021માં 1,773 વિદેશીઓને, 2020માં 639 વિદેશીઓને, 2019માં 987 વિદેશીઓને, 2018માં 628 વિદેશીઓને અને 2017માં 817 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે ભારતીય નાગરિકતા નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવે છે.
દર 10 વર્ષે યોજાતી વસ્તી ગણતરી દેશની સૌથી મોટી માહિતી સંગ્રહ છે
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે પણ ગયા વર્ષે (7 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે વસ્તી ગણતરી 2021 અને વસ્તી ગણતરી સંબંધિત પ્રવૃત્તિઓ કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી છે. વસ્તી ગણતરી, જે દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે, તે દેશની સૌથી મોટી માહિતી સંગ્રહ કવાયત છે, જે વસ્તી વૃદ્ધિનું મૂલ્યાંકન કરવા તેમજ પીવાના પાણી, સ્વચ્છતા, આવાસ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓની ઍક્સેસનું વિશ્લેષણ કરવા માટે નિર્ણાયક છે.
આ પણ વાંચો: મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી’, PM મોદીના ભાષણ પર રાહુલ ગાંધીનો પલટવાર, ચીન-પાક મુદ્દે કરી મોટી વાત