AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરવ ગાંગુલી માટે મમતા બેનર્જીએ બેટિંગ કરી! પીએમ મોદીને કહ્યું- અન્યાય થયો છે ‘દાદા’ને બચાવો

મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવવાને અન્યાય ગણાવ્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદીને (Narendra Modi) વિનંતી કરી હતી કે સૌરવ ગાંગુલીને આઈસીસીની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે.

સૌરવ ગાંગુલી માટે મમતા બેનર્જીએ બેટિંગ કરી! પીએમ મોદીને કહ્યું- અન્યાય થયો છે 'દાદા'ને બચાવો
Sourav Ganguly - Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 3:26 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) બીસીસીઆઈના (BCCI) અધ્યક્ષ પદેથી રજા આપ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) ખુલ્લેઆમ ગાંગુલી માટે બેટિંગ કરી છે. સોમવારે ઉત્તર બંગાળ જતા પહેલા મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવવાને અન્યાય ગણાવ્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદીને (Narendra Modi) વિનંતી કરી હતી કે સૌરવ ગાંગુલીને આઈસીસીની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે. તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ.

મમતા બેનર્જીએ કહ્યું કે સૌરવ ગાંગુલી અમારું ગૌરવ છે. સૌરવ ગાંગુલીએ મેદાન પર અને પ્રશાસક તરીકે પોતાની ક્ષમતા દર્શાવી છે. તેમણે સવાલ કર્યો કે અમિત શાહનો પુત્ર કેમ રહી ગયો? સૌરવને કયા હેતુથી બાકાત રાખવામાં આવ્યો હતો? તેમણે આરોપ લગાવ્યો કે સૌરવ ગાંગુલીને ખોટી રીતે બહાર રાખવામાં આવ્યો છે.

PM મોદીએ સૌરવ ગાંગુલીના કેસમાં હસ્તક્ષેપ કરવો જોઈએ: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું કે, હું વડાપ્રધાનને વિનંતી કરીશ કે સૌરવ ગાંગુલીને ICCની ચૂંટણી લડવાની પરવાનગી આપે. હું સરકારને વિનંતી કરીશ કે ક્રિકેટના હિતમાં નિર્ણય લે. જણાવી દઈએ કે બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ સૌરવ ગાંગુલીએ CABની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સૌરવે શનિવારે કહ્યું હતું કે, હા, હું ચૂંટણી લડવાનો છું. 22 ઓક્ટોબરે નામાંકન ભરવાનો છું. હું પાંચ વર્ષ સુધી કેબમાં હતો. લોઢા કમિટીના નિયમો મુજબ હું વધુ ચાર વર્ષ સુધી રહી શકું છું. મને આશા છે કે મારી પેનલ 20મી તારીખ સુધીમાં તૈયાર થઈ જશે.

સૌરવ ગાંગુલી સાથે અન્યાય થયો છે: મમતા બેનર્જી

જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પહેલાથી જ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાયો નથી. જેના કારણે તેમને પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે જય શાહ ફરી તેમના જૂના પદ પર આવી રહ્યા છે.

સોમવારે, તૃણમૂલ કોંગ્રેસના અન્ય નેતાઓની જેમ, મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલી પર અન્યાય કરવાનો આરોપ મૂક્યો અને સંકેત આપ્યો કે સૌરવ ગાંગુલી રાજકારણનો શિકાર બની ગયો છે, પરંતુ તેનાથી ક્રિકેટ માટે કોઈ ફાયદો થશે નહીં. તેમણે આ મામલે પીએમના હસ્તક્ષેપની માગ કરી હતી.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">