Maharashtra political crisis: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ, શિવસેના હિન્દુત્વથી દૂર જઈ જ ન શકે

ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે હિન્દુત્વનો પાલવ પકડવાની કોશિશ કરી હતી.

Maharashtra political crisis: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ, શિવસેના હિન્દુત્વથી દૂર જઈ જ ન શકે
Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 6:31 PM

મહારાષ્ટ્ર (Maharashtra) માં ચાલી રહેલા રાજકીય સંકટ (political crisis) વચ્ચે શિવસેના (Shivsena) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે હિન્દુત્વનો પાલવ પકડવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું હતું કે શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ છે. આ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી છે. શિવસેના હિન્દુત્વથી દૂર જઈ જ ન શકે. તેમણે નવનીત રાણા મુદ્દે પણ ચોખવટ કરી હતી. થોડા સમય પહેલાં અમરાવતીના અમરાવાતીના સાંસદ નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ કર્યો હતો. બાદમાં તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. તેમ છતાં મુંબઈની ખાર પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ ખૂબ ચગ્યો હતો અને શિવસેના હિન્દુત્વથી દૂર જઈ રહી હોવાની છબી બની હતી. જોકે ઉદ્ધવ ઠાકરેએ આજે આ મુદ્દે પણ ચોખવટ કરી શિવસેનાને હિન્દુત્વથી કોઈ દૂર કરી ન શકે, હિંદુત્વ એ શિવસેનાની ધડકન છે તેવું જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ આ સાથે ઇમોશનલ કાર્ડ પણ રમ્યું હતું. તેમણે એકનાથ શિંદે સાથે પારીવારિક સંબંધો હોવાનો ઇશારો કરતાં કહ્યું કે શિંદે અને આદિત્ય ઠાકરે બંને સાથે અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

તેણે કહ્યું કે આજે હું દુઃખી, આઘાત અને આશ્ચર્યમાં છું. જો કોંગ્રેસ અને એનસીપી કહે કે તેઓ ઉદ્ધવને સીએમ નથી ઈચ્છતા તો હું સમજી શકું છું, પરંતુ આજે સવારે કમલનાથે મને ફોન કર્યો, ગઈકાલે શરદ પવારે મને ફોન કર્યો અને કહ્યું કે હું તમારી સાથે છું, મને તમારા પર વિશ્વાસ છે. તેઓ મને ઇચ્છે છે, પરંતુ જો મારા પોતાના લોકો મને ન ઇચ્છતા હોય તો હું શું કહી શકું? સુરત કે બીજે ક્યાંય જવાને બદલે તેઓ આવીને મને કેમ કહેતા નથી કે અમે તમને અમારા મુખ્યમંત્રી તરીકે નથી જોઈતા. જો તેઓ કહે કે અમને ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું જોઈએ છે, તો હું રાજીનામું આપવા તૈયાર છું અને રાજભવન જવા પણ તૈયાર છું, જો એક પણ વ્યક્તિ આવીને મારી સાથે વાત કરે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હું મારું રાજીનામું આપવા તૈયાર છું. મારી સામે આવો અને હું મારું રાજીનામું આપીશ. તે રાજીનામું રાજભવન લઈ જાઓ, હું જઈ શકતો નથી કારણ કે મને કોવિડ છે. હું ફરી લડીશ. હું કોઈપણથી ડરતો નથી. જેઓ કહે છે કે આ બાળાસાહેબની શિવસેના નથી તેમના માટે પણ મારી પાસે તમામ જવાબો છે. કેટલાક લોકો કહે છે કે આ બાળાસાહેબની સેના નથી. હું શિવસેના પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું, પરંતુ જેઓ મને નથી ઈચ્છતા તેમણે મારી સાથે રૂબરૂ વાત કરવી જોઈએ.

ઠાકરેએ કહ્યું કે જો શિવસેના ફરી સત્તામાં આવશે તો હું રાજીખુશીથી સીએમ પદ સ્વીકારીશ, પરંતુ તમારે મારી પીઠ પાછળ નહીં, સામે મને કહેવું પડશે. અત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું. આવી પોસ્ટ આવશે અને જશે. ઘણા લોકોએ મને કહ્યું કે હું પરિવારના સભ્ય તરીકે તેમની સાથે વાત કરી રહ્યો છું અને તે મારી વાસ્તવિક સિદ્ધિ છે. કોની પાસે નંબર છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને નંબર કેવી રીતે મળ્યો તે મહત્વનું છે. હું અત્યારે કોઈ ડ્રામા નથી કરી રહ્યો. જો એકનાથ શિંદે આવીને બોલે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. બધા ધારાસભ્યએ મને ટેકો આપ્યો પણ મારા પોતાના લોકોએ મને સાથ આપ્યો નહીં. જો એક પણ સભ્ય મારી વિરુદ્ધ વોટ આપે તો તે મારા માટે શરમજનક છે. જો તમે લોકો ઈચ્છો છો કે હું રાજીનામું આપું તો હું રાજીનામું આપીશ.

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">