Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરે મહિનાઓ સુધી કેમ લોકોને ન મળ્યા ? પોતે જ જણાવ્યુ તેનું કારણ
એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીમાં 35 બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે,જેને પગલે મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સ્પષ્ટતા કરી છે.
ઉદ્ધવ સરકારમાં (Government of Uddhav Thackeray ) મંત્રી એકનાથ શિંદેના (Eknath Shinde) બળવા બાદ મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ ઊભુ થયુ છે. એકનાથ શિંદેની (Eknath Shinde) આગેવાનીમાં 35 બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે,જેને પગલે મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે મીડિયા સમક્ષ આવીને કેટલીક સ્પષ્ટતા કરી છે. ઉદ્ધવ ઠાકરેએ તેઓ લોકોને 2-3 મહિના સુધી કેમ નહોતા મળ્યા તે અંગેનું કારણ જણાવ્યુ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથેના સંબોધનમાં જણાવ્યુ કે, અમારા ધારાસભ્યો સાથે શું થઈ રહ્યું છે અને તેઓ ક્યાં જઈ રહ્યા છે અથવા તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેમાં હું પડવા માંગતો નથી. પણ એ વાત સાચી છે કે, હુ ઘણા સમય સુધી લોકોને મળ્યો નથી. ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથેના સંબોધન એમ પણ જણાવ્યુ કે, હુ લોકોને ન મળી શક્યો તેની પાછળ કારણ જવાબદાર છે. હું ઘણા સમય સુધી લોકોને ન મળી શક્યો, પણ હવે લોકોને મળવાનું શરુ કર્યુ છે.
ઉદ્ધવ ઠાકરેએ લોકોને ન મળવા અંગેનું કારણ જણાવ્યુ
ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, છેલ્લા 2-3 મહિનાથી હું લોકોને નથી મળ્યો, મારી સર્જરી થઇ હતી અને સ્વાસ્થ્યની સ્થિતિને કારણે હું છેલ્લા કેટલાક મહિનામાં લોકોને મળી શક્યો નથી. પરંતુ હવે, મેં લોકોને મળવાનું શરૂ કર્યું છે.
I don’t want to get into what is happening with our MLAs and where they are going or where they are being taken: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/2iv9H2SXHL
— ANI (@ANI) June 22, 2022
CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, ગુવાહાટી પહોંચેલા ધારાસભ્યોના ફોન આવી રહ્યા છે, તેઓ તેમને રજૂઆત કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે જો શિવસેના ફરી સત્તામાં આવશે તો હું રાજીખુશીથી સીએમ પદ સ્વીકારીશ, પરંતુ તમારે મારી પીઠ પાછળ નહીં, સામે મને કહેવું પડશે. અત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું. આવી પોસ્ટ આવશે અને જશે. ઘણા લોકોએ મને કહ્યું કે હું પરિવારના સભ્ય તરીકે તેમની સાથે વાત કરી રહ્યો છું અને તે મારી વાસ્તવિક સિદ્ધિ છે.