AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: માફિયા અતીક અહેમદને 8 ગોળીઓ મારી હતી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

સ્વરૂપ રાની હોસ્પિટલમાં ચાર ડોક્ટરોની ટીમ દ્વારા આતિક અહેમદનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ દરમિયાન ફોરેન્સિક ડોકટરો પણ હાજર હતા.

Breaking News: માફિયા અતીક અહેમદને 8 ગોળીઓ મારી હતી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 8:12 PM
Share

અતીક અહેમદ અને અશરફ અહેમદના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ માફિયા અતીક અહેમદ પર આઠ ગોળીઓ ચલાવી હતી. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહોને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા.  બંનેના મૃતદેહોને અહીં દફનાવવામાં આવશે.

સ્વરૂપ રાની હોસ્પિટલમાં ચાર ડોક્ટરોની ટીમ દ્વારા આતિક અહેમદનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ દરમિયાન ફોરેન્સિક ડોકટરો પણ હાજર હતા. પોસ્ટમોર્ટમ પહેલા બંનેના મૃતદેહનું પ્રથમ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અતિક અહેમદની હત્યા કરનાર લવલેશ તિવારીની છેલ્લી રીલ થઈ વાયરલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળીને ચોંકી જશો! જુઓ Viral Video

માત્ર 40 સેકન્ડ, 18 ગોળીઓ અને અતીક-અશરફનું કામ તમામ

મીડિયાના કેમેરા જોઈને અતીક અને અશરફ અટકી જાય છે અને વાત કરવાનો પ્રયાસ કરે છે. અતીકનો ભાઈ અશરફ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યો છે. દરમિયાન, સામેથી એક હુમલાખોરે અતીકના માથા પર પિસ્તોલ વડે પોઈન્ટ બ્લેંક ગોળી મારી હતી અને અતીક જમીન પર પડી જાય છે. આ પછી અશરફ કંઈક સમજી શકે તે પહેલા હુમલાખોરોએ અશરફને પણ ગોળી મારી દીધી.

જ્યારે અતીક અને અશરફ જમીન પર પડ્યા હતા. આ પછી ત્રણ હુમલાખોરોએ અતીક અહેમદ અને અશરફ પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા પછી, હુમલાખોરો નારા લગાવતા આત્મસમર્પણ કરે છે. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે. લગભગ એક મિનિટની આ  ઘટના દરમિયાન, ઘટનાસ્થળ પર લગભગ 10 પોલીસકર્મીઓ હાજર હતા. હુમલાની આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જે મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી.

યુપીના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ

પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ યુપીના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">