જ્ઞાનવાપીની જેમ અજમેર દરગાહમાં પણ શિવ મંદિરનો દાવો, કોર્ટે કેસને બીજી કોર્ટમાં મોકલી દીધો

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને લઈને વિવાદ ઉભો થયો છે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની એક કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, દરગાહ પહેલા સંકટ મોચન મહાદેવ મંદિર હતું.

જ્ઞાનવાપીની જેમ અજમેર દરગાહમાં પણ શિવ મંદિરનો દાવો, કોર્ટે કેસને બીજી કોર્ટમાં મોકલી દીધો
Ajmer dargah
Follow Us:
| Updated on: Sep 27, 2024 | 7:44 PM

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને લઈને વિવાદ ઉભો થયો છે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની એક કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, દરગાહ પહેલા સંકટ મોચન મહાદેવ મંદિર હતું, જેને દરગાહ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું છે. ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, આ દરગાહ હિન્દુ અને જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી અને તેના પુરાવા પણ છે.

ગુપ્તાએ કોર્ટને વિનંતી કરી છે કે, દરગાહને સંકટ મોચન મહાદેવ મંદિર તરીકે જાહેર કરવામાં આવે અને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. આ સાથે તેમણે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) પાસે સ્થળનો સર્વે કરાવવાની પણ માંગ કરી છે.

શું છે દાવો ?

વિષ્ણુ ગુપ્તા કહે છે કે અજમેરના હરવિલાસ શારદાએ તેમના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે, અને આ પુસ્તકના આધારે તેમણે અરજી કરી છે. આ અરજી દિલ્હીના એડવોકેટ શશિ રંજન અને અજમેરના એડવોકેટ જે. એસ. રાણા મારફત દાખલ કરવામાં આવેલ છે. બીજી તરફ દરગાહના સજ્જાદંશીન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાને નુકસાન પહોંચાડવાના હેતુથી આવા દાવા કરવામાં આવી રહ્યા છે. ચિશ્તીએ કહ્યું કે, દરગાહનો ઈતિહાસ સદીઓ જૂનો છે અને તે તમામ ધર્મના લોકો માટે ખુલ્લો છે. તેમણે એવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જે આવા વિવાદો સર્જી રહી છે.

જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?
Coconut Eating Benefits: રોજ સવારે નાળિયેર ખાવાથી શું થાય? મળશે વજન ઘટાડવા સહિત આ લાભો
ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?
નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવો રાજેશ આહિરના ગીત સાથે
અહીં મળે છે સસ્તો દારૂ, જાણો શા માટે દરેક રાજ્યમાં દારૂની કિંમત અલગ-અલગ હોય?

કોર્ટે શું કહ્યું ?

અદાલતે અધિકારક્ષેત્રના મુદ્દાને કારણે કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. વિષ્ણુ ગુપ્તાએ કહ્યું છે કે તેઓ હવે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ નવી અરજી દાખલ કરશે અને સુનાવણી માટે યોગ્ય કોર્ટમાં અપીલ કરશે. તેમના વકીલે કહ્યું કે સિવિલ કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, અને તેઓ હવે તેને યોગ્ય કોર્ટમાં રજૂ કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ અરજી કરશે.

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
વડીયામાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા
વડીયામાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા
g clip-path="url(#clip0_868_265)">