કેનેડાથી આવતીકાલે ભારત પહોંચશે કાર્તિક વાસુદેવનો મૃતદેહ, પરિવારજનોએ આ બાબતે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની કરી માગ

પોલીસે કાર્તિક પરના (Kartik Vasudev) હુમલાને રેન્ડમ હુમલો ગણાવ્યો અને કહ્યું કે, આ ઘટનામાં પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા નથી. જો કે, હુમલા પાછળનું કારણ શું હતું તે જાણવા માટે તપાસકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે.

કેનેડાથી આવતીકાલે ભારત પહોંચશે કાર્તિક વાસુદેવનો મૃતદેહ, પરિવારજનોએ આ બાબતે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની કરી માગ
Karthik Vasudev's family (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 10:03 PM

કેનેડામાં (Canada) ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનો (Kartik Vasudev) મૃતદેહ 16 એપ્રિલે દિલ્હી (Delhi) લાવવામાં આવશે. કાર્તિકના પિતાએ આ માહિતી આપી છે. 21 વર્ષીય વિદ્યાર્થીના પિતા હિતેશ વાસુદેવે જણાવ્યું કે ટોરોન્ટો પોલીસે (Toronto Police) માહિતી આપી છે કે આ ગુનો કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને વકીલને રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ કારણોસર, આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે. જ્યારે શનિવાર સવાર સુધીમાં મૃતદેહ નવી દિલ્હી પહોંચી જશે.

કાર્તિક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી હતો. તે ઉચ્ચ શિક્ષણ માટે જાન્યુઆરીમાં કેનેડા ગયો હતો. કાર્તિક કેનેડામાં ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરી રહ્યો હતો. સેન્ટ જેમ્સ ટાઉનમાં શેરબોર્ન ટીટીસી સ્ટેશનના ગ્લેન રોડ એન્ટ્રી ગેટ પર તેને ગોળી મારી દેવામાં આવી હતી. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે જે સમયે કાર્તિકને ગોળી વાગી હતી તે સમયે તે પોતાના કામ પર જઈ રહ્યો હતો. કેનેડામાં ભણવાની સાથે કાર્તિક એક રેસ્ટોરન્ટમાં કામ પણ કરતો હતો.

પોલીસે મંગળવારે આરોપીની ધરપકડ કરી હતી

કાર્તિક પર ગોળીબાર કરનાર વ્યક્તિની ઓળખ 39 વર્ષીય રિચર્ડ જોનાથન એડવિન તરીકે થઈ છે. પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. ટોરોન્ટો પોલીસે કહ્યું કે તેમને શંકા છે કે એડવિન અન્ય વ્યક્તિની હત્યામાં પણ સામેલ હતો. પોલીસે કાર્તિક પરના હુમલાને રેન્ડમ એટેક ગણાવ્યો અને કહ્યું કે આ ઘટનામાં પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા નથી. જો કે, હુમલા પાછળનું કારણ શું હતું તે જાણવા માટે તપાસકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

‘રેન્ડમ એટેક ફાયરિંગ’ – કેનેડિયન પોલીસ

કાર્તિકના પરિવારના સભ્યોએ કેનેડિયન પોલીસના દાવાને ફગાવી દીધો કે ગોળીબાર રેન્ડમ એટેક હતો. પિતા હિતેશે કહ્યું કે, ‘આ હત્યા દુશ્મનીના કારણે કરવામાં આવી છે. અમને નથી લાગતું કે આ રેન્ડમ હુમલો હતો.’ પરિવારે કહ્યું, ‘પોલીસે જણાવ્યું નથી કે મારા પુત્રના શરીર પર કેટલી ગોળીઓ વાગી છે. તે ફક્ત એટલું જ કહી રહ્યા છે કે ઘણી ગોળીઓ ચલાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે શંકાસ્પદ વ્યક્તિએ કાર્તિક સાથે કોઈ વાતચીત કરી ન હતી, માત્ર તેના પર સીધું ફાયરિંગ કર્યું હતું. કાર્તિકના પરિવારે પણ આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરી છે.

આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહીમને મારવાની કસમ લેનાર ગેંગસ્ટર અલી બુદેશનું મોત, મુંબઈથી ભાગીને બહેરીનમાં રહેતો હતો

આ પણ વાંચો: PM MODI શનિવારે મોરબીમાં હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ધઘાટન કરશે

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">