AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા ? આજે ઊંચકાશે પડદો, કોંગ્રેસ સરકાર રચવા અંગે લેશે નિર્ણય

એવું માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા લગભગ કર્ણાટકના સીએમ બનશે. બીજી તરફ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવતા સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શિવકુમાર તબિયત ખરાબ હોવાના કારણે દિલ્હી આવી શક્યા ન હતા.

Karnataka: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા ? આજે ઊંચકાશે પડદો, કોંગ્રેસ સરકાર રચવા અંગે લેશે નિર્ણય
Karnataka Assembly Election
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 8:48 AM
Share

કર્ણાટકની રાજનીતિમાં મંગળવારનો દિવસ મહત્વનો બનવા જઈ રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર મંગળવારે દિલ્હી આવશે. ડીકે શિવકુમારની કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડ સાથે બેઠક દેશની રાજધાનીમાં થવાની છે. આ બેઠકમાં કર્ણાટકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. ડીકે શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે આ માહિતી આપી છે. 224 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસના ખાતામાં 135 બેઠકો છે, જ્યારે બહુમત માટે 113 બેઠકોની જરૂર છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેને દિલ્હી બોલાવ્યા

ડીકે શિવકુમાર હાલમાં તેમના નિવાસસ્થાને છે. તેઓ સવારે 9.30 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. તેમણે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી માટે 3 ફ્લાઈટ બુક કરાવી છે. તે આમાંથી કોઈપણમાંથી જઈ શકે છે. વાસ્તવમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે રેસ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેને દિલ્હી બોલાવ્યા. આ બંને લોકો સીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે.

સિદ્ધારમૈયા લગભગ કર્ણાટકના સીએમ બનશે

જો કે હવા સિદ્ધારમૈયાની તરફેણમાં ફૂંકાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા લગભગ કર્ણાટકના સીએમ બનશે. બીજી તરફ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવતા સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શિવકુમાર તબિયત ખરાબ હોવાના કારણે દિલ્હી આવી શક્યા ન હતા.

આ પણ વાંચો : Karnataka BJP: કર્ણાટકમાં હાર બાદ ભાજપ કેવી રીતે વાપસી કરશે? રાજસ્થાન-એમપી સહિત ચાર રાજ્યોમાં ચૂંટણી માટે રણનીતિ બદલી

ડીકે સુરેશ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા

કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશ સોમવારે સાંજે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠક દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને થઈ હતી. મીટિંગ પૂરી થયા પછી ડીકે સુરેશે પત્રકારો સાથે વાત કરી, જેમાં તેમણે જણાવ્યું કે ડીકે શિવકુમાર મંગળવારે દિલ્હી આવશે. વાસ્તવમાં, પત્રકારોએ પૂછ્યું કે ડીકે શિવકુમાર ક્યારે દિલ્હી આવી રહ્યા છે. જેના જવાબમાં ડીકે સુરેશે કહ્યું, ‘હા, તે કાલે આવી રહ્યા છે.’

વાસ્તવમાં સોમવારે પણ મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી શકી નથી. મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં ડીકે શિવકુમાર માટે આજે દિલ્હી પહોંચવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ સીએમના નામ પર મહોર લાગી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">