AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanpur Violence: કાનપુર હિંસાનો માસ્ટરમાઈન્ડ જફર હયાત હાશમી પોલીસ કસ્ટડીમાં, મુખ્ય આરોપી સહિત 4ના રિમાન્ડ મંજૂર

મૌલાના મોહમ્મદ અલી જૌહર ફેન્સ એસોસિએશન એ હાશ્મી દ્વારા રચાયેલ સ્થાનિક સામાજિક જૂથ છે. લખનૌના હઝરતગંજ વિસ્તારમાંથી અન્ય ત્રણ સાથે હાશ્મીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી.

Kanpur Violence: કાનપુર હિંસાનો માસ્ટરમાઈન્ડ જફર હયાત હાશમી પોલીસ કસ્ટડીમાં, મુખ્ય આરોપી સહિત 4ના રિમાન્ડ મંજૂર
Kanpur ViolenceImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 5:34 PM
Share

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) કાનપુર હિંસાના માસ્ટરમાઈન્ડ અને મૌલાના મોહમ્મદ અલી (એમએમએ) જોહર ફેન્સ એસોસિએશનના વડા ઝફર હયાત હાશ્મી (Jafar Hayat Hashmi) સહિત ચાર આરોપીઓને આજે કાનપુર કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા હાશ્મીને કોર્ટમાં લઈ જતી વખતે યુપી પોલીસ (UP Police) અને આરપીએફએ કોર્ટને છાવણીમાં ફેરવી દીધી હતી. જાજમાઉમાં પ્રતિબંધ હોવા છતાં જુલૂસ-એ-મોહમ્મદી કાઢવાના મામલામાં ઝફર સામે અનેક કેસ નોંધાયા હતા. હયાત ઝફર હાશ્મીને કાનપુર હિંસાનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવી રહ્યો છે.

મૌલાના મોહમ્મદ અલી જૌહર ફેન્સ એસોસિએશન એ હાશ્મી દ્વારા રચાયેલ સ્થાનિક સામાજિક જૂથ છે. લખનૌના હઝરતગંજ વિસ્તારમાંથી અન્ય ત્રણ સાથે હાશ્મીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી. તમામ આરોપીઓને હવે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

500 લોકો સામે કેસ નોંધાયા

યુપી પોલીસે હિંસા માટે 500 લોકો સામે કેસ નોંધ્યા છે. હિંસાની ઘટનાઓમાં 40 લોકો ઘાયલ થયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં શાંતિનો માહોલ છે. કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીનાએ જણાવ્યું હતું કે આ ઘટનાઓના સંબંધમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

PFI જેવી સંસ્થાઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે

પોલીસ કમિશનર વિજય સિંહ મીનાએ એમ પણ કહ્યું કે પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) જેવી સંસ્થાઓની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. “અમે તમામ ખૂણાઓથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને PFI અને અન્ય જેવા જૂથોની સંડોવણી પર પણ નજર રાખી રહ્યા છીએ.” તેમણે કહ્યું જે પણ દોષિત સાબિત થશે તેને બક્ષવામાં આવશે નહીં.” અધિકારીએ કહ્યું કે આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ કરવામાં આવશે અને તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે. મીનાએ જણાવ્યું હતું કે “અમે ઘટનાને રોકવામાં પોલીસની સંભવિત ક્ષતિની પણ તપાસ કરી રહ્યા છીએ.”

જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા પર ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ ટિપ્પણીઓના વિરોધમાં કાનપુરના જાજમાઉમાં શુક્રવારની નમાજ પછી દુકાનો બંધ કરવાના પ્રયાસ દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">