AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indore: AIMIMનાં રાષ્ટ્રિય પ્રવક્તા વારિસ ખાન પઠાણનું મોઢુ કાળુ કરાયુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

વારિસ પઠાણે પોતાના ચહેરાને કાળો કરવા પર કહ્યું કે 'લોકો તેને પ્રેમ કરે છે. તેણે કહ્યું કે કોઈ મને ફૂલોનો હાર પહેરાવે છે, તો કોઈ મારા ચહેરા પર કાજલનું ટીક લગાવે છે જેથી કોઈ વ્યક્તિની ખરાબ નજર મને ન પડે.

Indore: AIMIMનાં રાષ્ટ્રિય પ્રવક્તા વારિસ ખાન પઠાણનું મોઢુ કાળુ કરાયુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
AIMIM national spokesperson Waris Khan Pathan
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:12 AM
Share

મંગળવારે એક વ્યક્તિએ ઈન્દોરના ખજરાનામાં આવેલી દરગાહ પર પહોંચેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ (AIMIM) મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણનું મોઢું કાળું કર્યું. આ ઘટના બાદ તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વાસ્તવમાં, મંગળવારે ઈન્દોર AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ પોતાની પાર્ટીના સમર્થકો સાથે ખજરાનામાં નાહરશાહ વલી સરકારની દરગાહ પર પહોંચ્યા હતા.

જ્યાં વારિસ પઠાણે સૌપ્રથમ દરગાહ શરીફમાં ચાદર ચઢાવી હતી. આ પછી કોઈ અજાણ્યા શખ્સે વારિસ પઠાણના મોઢા પર કાજળ નાખ્યું હતું. ત્યાં હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ યુવક સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

ખજરાના સ્ટેશન ઈન્ચાર્જ દિનેશ કુમાર વર્માએ જણાવ્યું કે યુવક ખજરાના પટેલ કોલોનીનો રહેવાસી છે જેનું નામ સદ્દામ, પિતા અઝીઝ પટેલ અને ઉંમર 30 વર્ષ છે અને તે વ્યવસાયે મજૂર તરીકે કામ કરે છે. તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મને આ વ્યક્તિ પસંદ નથી. હંમેશા દેશ વિરોધી વાતો કરતા રહે છે અને મુસ્લિમ સમાજને બદનામ કરે છે. હાલમાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે તે કોઈ પક્ષ સાથે સંકળાયેલો છે કે કેમ

તે જ સમયે, AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ચહેરા પર કાળો રંગ લગાવવાના મામલે કહ્યું, ‘લોકો તેમને પ્રેમ કરે છે. તેણે કહ્યું કે કોઈ મને ફૂલોનો હાર પહેરાવે છે, તો કોઈ મારા ચહેરા પર કાજલનું ટીક લગાવે છે જેથી કોઈ વ્યક્તિની ખરાબ નજર મને ન પડે. તેમણે આરોપ લગાવ્યો કે આ બધું કોંગ્રેસ પાર્ટી કરી રહી છે બીજું કંઈ નથી.

દરમિયાન, એઆઈએમઆઈએમના રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ ડૉ. નઈમ અંસારીએ પઠાણનું મોઢું કાળું કરવા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પાર્ટીએ આ ઘટનાની તપાસ માટે ખજરાના પોલીસને અરજી કરી છે.

તેમણે કહ્યું, પોલીસે નજીકથી તપાસ કરવી જોઈએ અને આ ઘટના પાછળ કોણ છે તે શોધવું જોઈએ. અંસારીએ જણાવ્યું કે પઠાણ એઆઈએમઆઈએમની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે મંગળવારે જ મધ્યપ્રદેશ પહોંચ્યા હતા.

ખજરાના પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે AIMIMના પ્રવક્તાનું મોઢું કાળું કરવાના આરોપમાં પટેલની ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 151 (કોગ્નિઝેબલ અપરાધ અટકાવવા સાવચેતીપૂર્વક ધરપકડ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">