Indore: AIMIMનાં રાષ્ટ્રિય પ્રવક્તા વારિસ ખાન પઠાણનું મોઢુ કાળુ કરાયુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2022 | 8:12 AM

વારિસ પઠાણે પોતાના ચહેરાને કાળો કરવા પર કહ્યું કે 'લોકો તેને પ્રેમ કરે છે. તેણે કહ્યું કે કોઈ મને ફૂલોનો હાર પહેરાવે છે, તો કોઈ મારા ચહેરા પર કાજલનું ટીક લગાવે છે જેથી કોઈ વ્યક્તિની ખરાબ નજર મને ન પડે.

Indore: AIMIMનાં રાષ્ટ્રિય પ્રવક્તા વારિસ ખાન પઠાણનું મોઢુ કાળુ કરાયુ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
AIMIM national spokesperson Waris Khan Pathan

Follow us on

મંગળવારે એક વ્યક્તિએ ઈન્દોરના ખજરાનામાં આવેલી દરગાહ પર પહોંચેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ (AIMIM) મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણનું મોઢું કાળું કર્યું. આ ઘટના બાદ તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વાસ્તવમાં, મંગળવારે ઈન્દોર AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ પોતાની પાર્ટીના સમર્થકો સાથે ખજરાનામાં નાહરશાહ વલી સરકારની દરગાહ પર પહોંચ્યા હતા.

જ્યાં વારિસ પઠાણે સૌપ્રથમ દરગાહ શરીફમાં ચાદર ચઢાવી હતી. આ પછી કોઈ અજાણ્યા શખ્સે વારિસ પઠાણના મોઢા પર કાજળ નાખ્યું હતું. ત્યાં હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ યુવક સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

ખજરાના સ્ટેશન ઈન્ચાર્જ દિનેશ કુમાર વર્માએ જણાવ્યું કે યુવક ખજરાના પટેલ કોલોનીનો રહેવાસી છે જેનું નામ સદ્દામ, પિતા અઝીઝ પટેલ અને ઉંમર 30 વર્ષ છે અને તે વ્યવસાયે મજૂર તરીકે કામ કરે છે. તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મને આ વ્યક્તિ પસંદ નથી. હંમેશા દેશ વિરોધી વાતો કરતા રહે છે અને મુસ્લિમ સમાજને બદનામ કરે છે. હાલમાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે તે કોઈ પક્ષ સાથે સંકળાયેલો છે કે કેમ

તે જ સમયે, AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ચહેરા પર કાળો રંગ લગાવવાના મામલે કહ્યું, ‘લોકો તેમને પ્રેમ કરે છે. તેણે કહ્યું કે કોઈ મને ફૂલોનો હાર પહેરાવે છે, તો કોઈ મારા ચહેરા પર કાજલનું ટીક લગાવે છે જેથી કોઈ વ્યક્તિની ખરાબ નજર મને ન પડે. તેમણે આરોપ લગાવ્યો કે આ બધું કોંગ્રેસ પાર્ટી કરી રહી છે બીજું કંઈ નથી.

દરમિયાન, એઆઈએમઆઈએમના રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ ડૉ. નઈમ અંસારીએ પઠાણનું મોઢું કાળું કરવા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પાર્ટીએ આ ઘટનાની તપાસ માટે ખજરાના પોલીસને અરજી કરી છે.

તેમણે કહ્યું, પોલીસે નજીકથી તપાસ કરવી જોઈએ અને આ ઘટના પાછળ કોણ છે તે શોધવું જોઈએ. અંસારીએ જણાવ્યું કે પઠાણ એઆઈએમઆઈએમની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે મંગળવારે જ મધ્યપ્રદેશ પહોંચ્યા હતા.

ખજરાના પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે AIMIMના પ્રવક્તાનું મોઢું કાળું કરવાના આરોપમાં પટેલની ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 151 (કોગ્નિઝેબલ અપરાધ અટકાવવા સાવચેતીપૂર્વક ધરપકડ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-શું તમે બજેટ 2022 વિશેની બધી મોટી બાબતો જાણો છો? કેન્દ્રના ‘અમૃત બજેટ’નું સંપૂર્ણ વિશ્લેષણ, ગામડા-ગરીબથી લઈને ખેડૂતો અને રોજગાર સુધી

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati