AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી

ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) આ ડીલ અંતર્ગત બ્રિટિશ બજારમાં ભારતથી નિકાસ થતી 99% વસ્તુઓ પર શૂન્ય ટકા ટેરિફ એટલે કે કોઈ પણ પ્રકારની આયાત ડ્યુટી લાગશે નહીં. આ ઐતિહાસિક ડીલ 15 જુલાઈ, 2026 થી અમલી થવા જઈ રહી છે. જેના કારણે ભારતની ટેક્સટાઈલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ-સઘન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી શકે છે. ભારત-યુકે મુક્ત વ્યાપાર કરારની ટેક્સટાઈલ ઉદ્યોગ પર આ કરારની શું અસર પડશે અને તે કેવી રીતે ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આવો સમજીએ.

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી
| Updated on: Jul 09, 2026 | 8:26 PM
Share

ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (FTA) હવે અમલીકરણના આરે છે, જે અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને વાર્ષિક 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં ભારત અને યુકે વચ્ચેનો કુલ વ્યાપાર લગભગ 56 અબજ ડોલરની આસપાસ છે, જેમાં Goods માલસામાન અને Services સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. ભારત યુકે સાથેના વ્યાપારમાં સરપ્લસ ધરાવે છે, એટલે કે આપણે ત્યાંથી આયાત કરવા કરતાં વધુ માલ-સામાનની નિકાસ કરીએ છીએ. અત્યારે ભારત યુકેમાં લગભગ 12.9 અબજ ડોલરના માલ-સામાનની નિકાસ કરે છે, જ્યારે ત્યાંથી 8.4 અબજ ડોલરની આયાત થાય છે. આ કરાર દ્વારા માત્ર માલ સામાનનો વ્યાપાર જ 100 અબજ ડોલર સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મેડિસિન, ફાર્મા, ટેલિકોમ અને કાપડ જેવી વસ્તુઓ ભારત તરફથી મુખ્યત્વે નિકાસ કરવામાં આવે છે. આ આંકડા દર્શાવે છે કે જો ટેરિફ અવરોધો દૂર થાય, તો ભારત માટે નિકાસની ક્ષમતા કેટલી વિશાળ હોઈ શકે છે.

ટેક્સટાઈલ ક્ષેત્રમાં ઊંચી ઉડાનની આશા

ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આ ડીલ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. હાલમાં યુકેમાં ભારતનો ટેક્સટાઈલ અને એપેરલ (રેડીમેડ કપડાં) વ્યાપાર વાર્ષિક 1.2 અબજ ડોલર છે, જે આગામી સમયમાં વધીને 2 થી 2.5 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. અત્યારે યુકેના કાપડ બજારમાં ભારતનો હિસ્સો માત્ર 6% છે, જેને વધારીને 10% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા પાછળનું મુખ્ય કારણ ‘ડ્યુટી ફ્રી એક્સેસ’ છે. અત્યાર સુધી ભારતીય કપડાં પર યુકેમાં 8 થી 12% જેટલી આયાત ડ્યુટી લાગતી હતી, જે હવે શૂન્ય થઈ જશે. આ ફેરફારથી ભારતીય ઉત્પાદનો બ્રિટિશ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે અને અન્ય દેશોના બજાર હિસ્સાને આપણે કબજે કરી શકીશું.

ટેક્સ્ટાઈલ નિકાસમાં ભારત ચીનનો દબદબો તોડશે

વૈશ્વિક ટેક્સટાઈલ નિકાસમાં હાલમાં ચીન 303 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 41 અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે. બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો ભારત કરતા આગળ હોવાનું એક મોટું કારણ એ છે કે તેમની પાસે પહેલેથી જ યુરોપિયન અને બ્રિટિશ બજારોમાં ટેરિફ મુક્તિના કરારો હતા. બાંગ્લાદેશના ઉત્પાદનો પર ડ્યુટી ફ્રી હોવાને કારણે સસ્તા પડતા હતા, પરંતુ હવે ભારતને પણ તેવો જ લાભ મળતા આપણે બાંગ્લાદેશની જગ્યા લઈ શકીએ છીએ. ભારતીય પ્રોડક્ટ્સ માટે એક મોટો ફાયદો એ છે કે ભારતના કોટનની ત્યાં પહેલેથી જ બહુ માગ રહે છે. ભારતીય કોટનને ત્યાં બહુ જ રોયલ અને પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. આઝાદી પહેલા પણ બ્રિટનમાં ભારતીય કોટનની જબરી માગ રહેતી હતી. આથી ઐતિહાસિક રીતે બ્રિટનમાં ભારતીય કોટન અને સિલ્કને ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવતું હતું. ભારતીય કોટન માટે પહેલેથી જ બ્રિટનના લોકોની માનસિક્તા એવી રહી છે કે તેઓ ભારતીય કોટન પહેરતી વખતે હંમેશા તેઓ રિચ ફીલ કરે છે. આ મનોવૈજ્ઞાનિક સ્વીકાર્યતા અને હવે મળનારી આર્થિક છૂટછાટ ભારતીય નિકાસકારો માટે મોટા ફાયદાની ડીલ બનવાની છે.

સ્થાનિક બ્રાન્ડ્સ અને વૈશ્વિક એક્સપોઝર

ભારતની ઘણી જાણીતી બ્રાન્ડ્સ, જે વાસ્તવમાં ભારતીય છે પણ નામથી વિદેશી લાગે છે, તેમને આ કરારથી મોટો ફાયદો થવાનો છે. આદિત્ય બિરલા ગ્રુપની લુઈ ફિલિપ, વેન હ્યુસેન, પીટર ઈંગ્લેન્ડ અને એલન સોલી જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સ તેમજ અરવિંદ મિલ્સની ફ્લાઈંગ મશીન અને લુધિયાણા બેઝ્ડ મોન્ટે કાર્લો જેવી બ્રાન્ડ્સ હવે યુકેના બજારમાં મજબૂત પકડ જમાવી શકશે. આ ઉપરાંત રેમન્ડ્સ, બોમ્બે ડાઈંગ, વર્ધમાન ટેક્સટાઈલ અને ફેબ ઈન્ડિયા જેવી કંપનીઓ માટે પણ આ નિકાસના નવા દ્વાર ખોલશે. સાથે જ, બ્રિટિશ બ્રાન્ડ્સ જેવી કે બરબરી અને માર્કસ એન્ડ સ્પેન્સર પણ ભારતીય બજારમાં સસ્તી ઉપલબ્ધ થશે, જેનાથી બજારમાં સ્પર્ધા વધશે પરંતુ અંતે ગ્રાહકો અને ઉદ્યોગ બંનેને ફાયદો થશે.

રોજગારી અને આર્થિક વિકાસ પર પ્રભાવ

ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ પહેલેથી જ 4.5 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતું મોટું ક્ષેત્ર છે. લેધર અને ફૂટવેર સેક્ટર સાથે મળીને આ ઉદ્યોગો આગામી 5 વર્ષમાં નિકાસને 15 અબજ ડોલર સુધી લઈ જવાનું વિઝન ધરાવે છે, જે એક કરોડથી વધુ લોકોને નવી રોજગારી આપી શકે છે. આ ક્ષેત્રો શ્રમ-સઘન હોવાથી, નિકાસમાં થતી નાની વૃદ્ધિ પણ ગ્રાઉન્ડ લેવલ પર મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરે છે. યુકે સાથેનો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર વધારવા માટે નથી, પરંતુ તે ભારતના કરોડો કારીગરો અને કામદારોના જીવનધોરણમાં સુધારો લાવવાની અને ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાની એક સુવર્ણ તક છે. આમ, 15 જુલાઈ 2026 થી અમલી બનનારો આ કરાર ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે એક નવો યુગ લાવશે, જ્યાં ‘મેડ ઈન ઈન્ડિયા’ ના ટેગ સાથે ભારતીય કાપડ બ્રિટનના ખૂણેખૂણે ગર્વથી વેચાતું જોવા મળશે.

ભારત અને યુકે વચ્ચેના આ વ્યાપાર સંબંધોમાં સેવાઓ (Services) એક અત્યંત મહત્વનું પાસું છે, જેનો કુલ વ્યાપાર માલસામાન (Goods) કરતા પણ વધુ એટલે કે આશરે $33 અબજ જેટલો છે. આ કરાર માત્ર ભારતની નિકાસ પૂરતો મર્યાદિત નથી. યુકેથી ભારતમાં નોન-ફેરસ મેટલ, મિકેનિકલ પાવર જનરેટર્સ અને બેવરેજીસ જેવી હાઇ-ટેક ચીજવસ્તુઓની આયાત પણ હવે વધુ સરળ અને સસ્તી બનશે. ખાસ કરીને લક્ઝરી પ્રેમીઓ માટે બ્રિટિશ બ્રાન્ડ્સ જેવી કે ‘અબ્રાહમ મૂન એન્ડ સન્સ’ (Abraham Moon & Sons) અને ‘હેલકન’ (Halcyon) ભારતીય બજારોમાં સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ થશે. આ બદલાતા આર્થિક સમીકરણોને જોતા, રોકાણકારો માટે આ સેક્ટરમાં શેરબજાર દ્વારા મૂડીરોકાણ કરવાની પણ એક ઉમદા તક રહેલી છે

સુરતમાં ટેક્સ્ટાઈલ માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન, પલળેલો માલ 70 થી 80% ખોટ સાથે વેચવા કાઢ્યો- જુઓ Video

Follow Us
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
g clip-path="url(#clip0_868_265)">