ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) આ ડીલ અંતર્ગત બ્રિટિશ બજારમાં ભારતથી નિકાસ થતી 99% વસ્તુઓ પર શૂન્ય ટકા ટેરિફ એટલે કે કોઈ પણ પ્રકારની આયાત ડ્યુટી લાગશે નહીં. આ ઐતિહાસિક ડીલ 15 જુલાઈ, 2026 થી અમલી થવા જઈ રહી છે. જેના કારણે ભારતની ટેક્સટાઈલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ-સઘન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી શકે છે. ભારત-યુકે મુક્ત વ્યાપાર કરારની ટેક્સટાઈલ ઉદ્યોગ પર આ કરારની શું અસર પડશે અને તે કેવી રીતે ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આવો સમજીએ.

ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (FTA) હવે અમલીકરણના આરે છે, જે અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને વાર્ષિક 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ભારત અને યુકે વચ્ચેનો કુલ વ્યાપાર લગભગ 56 અબજ ડોલરની આસપાસ છે, જેમાં Goods માલસામાન અને Services સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. ભારત યુકે સાથેના વ્યાપારમાં સરપ્લસ ધરાવે છે, એટલે કે આપણે ત્યાંથી આયાત કરવા કરતાં વધુ માલ-સામાનની નિકાસ કરીએ છીએ. અત્યારે ભારત યુકેમાં લગભગ 12.9 અબજ ડોલરના માલ-સામાનની નિકાસ કરે છે, જ્યારે ત્યાંથી 8.4 અબજ ડોલરની આયાત થાય છે. આ કરાર દ્વારા માત્ર માલ સામાનનો વ્યાપાર જ 100 અબજ ડોલર સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને...
